ટોપ ન્યૂઝનેશનલમહાકુંભ 2025મીડિયાવર્લ્ડ

મહાકુંભ 2025/ સ્ટીવ જોબ્સના પત્ની બીમાર પડ્યા, છતાં પોવેલની સંગમ સ્નાનની ઈચ્છા અતૂટ

પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025 :   મહાકુંભનો ભાગ બનેલા એપલના કો-ફાઉન્ડર તથા સ્વ.સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ ભીડ તેમજ બદલાયેલા વાતાવરણને કારણે એલર્જીનો ભોગ બન્યા છે. તે હાલમાં આધ્યાત્મિક ગુરુ કૈલાશાનંદ ગિરિની શિબિરમાં રોકાયા છે. સ્વામી કૈલાશાનંદે ગઈકાલે જણાવ્યું હતું કે, ‘લોરેન પોવેલ અત્યારે મારી શિબિરમાં છે. તેમણે અગાઉ ક્યારે આવી ભીડભાડવાળી જગ્યા જોઈ જ નથી. તેમને કેટલીક એલર્જી થઈ છે. તેઓ ખૂબ જ સરળ છે અને તમામ પરંપરાઓનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા છે.

પોવેલની સંગમ સ્નાન કરવાની ઇચ્છા અતૂટ

એલર્જી થઈ હોવા છતાં પણ પોવેલ સંગમસ્નાન કરવા ઇચ્છે છે. ગંગા-યમુના-સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવવાની વિધિમાં ભાગ લેવા પણ માંગે છે. સ્વામી કૈલાશાનંદે કહ્યું કે, પોવેલ ધાર્મિક વિધિમાં ભાગ લે તે પહેલાં સ્વસ્થ થવા માટે જ શિબિરમાં આરામ કરી રહ્યા છે.

અગાઉ 61 વર્ષીય અમેરિકન બિઝનેસ વુમને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી. આ સમય દરમિયાન, સંતોના પ્રતિષ્ઠિત સંગઠન, નિરંજની અખાડાએ તેમને હિન્દુ નામ આપ્યું છે.

વારાણસી મંદિરમાં લોરેન પોવેલ જોબ્સે બાર જ્યોતિર્લિંગોમાંના એક બાબા કાશી વિશ્વનાથની પૂજા કરી અને સોમવારથી શરૂ થયેલા મહાકુંભના સફળ સંચાલન માટે પ્રાર્થના કરતી વખતે ‘જલાભિષેક’ (દેવતાને પાણી અર્પણ) કર્યું.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

સંતોએ ‘કમલા’ નામ આપ્યું
તે ગુલાબી રંગનો સૂટ અને માથા પર સફેદ સ્કાર્ફ વીંટાળીને મંદિર પહોંચ્યા હતા. તેમની સુરક્ષા માટે ઘણા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, સંતોએ તેમનું નામ ‘કમલા’ રાખ્યું છે.

‘તે ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે’
અગાઉ, સ્વામી કૈલાશાનંદ ગિરીએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, “તે ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તે આપણી પરંપરાઓ વિશે જાણવા માંગે છે… તે મને પિતા અને ગુરુ તરીકે માન આપે છે… દરેક વ્યક્તિ તેની ખૂબ નજીક છે. શીખી શકે છે. ભારતીય પરંપરાઓને દુનિયા દ્વારા સ્વીકારવામાં આવી રહી છે…”

મહાકુંભનો પ્રારંભ સોમવારથી થયો હતો.
દરમિયાન, વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ ૧૩ જાન્યુઆરી (સોમવાર) થી શરૂ થયો છે અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના જણાવ્યા અનુસાર, દર 12 વર્ષે આયોજિત મહાકુંભમાં 15 લાખ વિદેશી પ્રવાસીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

 

આ પણ વાંચો : સીડી લગાવીને 1000 પોલીસકર્મી રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યા, આ દેશના રાષ્ટ્ર પ્રમુખની વહેલી સવારે ધરપકડ થઈ

Back to top button