ગુજરાતટોપ ન્યૂઝ

જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનનું નિવેદન

આજે રાજ્યભરમાં લેવાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી. જેના પગલે લાખો ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે. અને ઉમેદવારો આ બાબતે વિરોધ પણ નોંધાવી રહ્યા છે. ત્યારે આ પેપર લિંક મામલે એક બાદ એક નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું હતું કે પેપર લીકના કેસમાં હાલ 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અને પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ પેપરલીક મામલે કરી રહી છે સઘન તપાસ

પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી જુનીયર ક્લાર્ક પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ પરત્વે માત્ર બે જ કલાકમાં અસરકારક પગલા લઇ તાકીદની કાર્યવાહી કરવામાં આવી છે.

પેપર લીક કૌભાડમાં રાજ્ય બહારની ગેંગની સંડોવણી

પસંદગી મંડળના ચેરમેનના જણાવ્યા અનુસાર આ પેપર લીક કેસમાં ગુજરાત રાજય બહારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ સંગઠીંત ગેંગ હોવાનું જણાય છે, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે. જુનીયર ક્લાર્ક પરીક્ષાના આયોજનને ધ્યાને લઇ પોલીસ તંત્ર ધ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતું અને અનિષ્ટ તેમજ અસામાજીક તત્વો ઉપર નજર રાખવામા આવેલ હતી જેના પરિણામે ઉપરોકત ગુન્હો બને તે પહેલા જ આવા કૃત્યમાં સંડોવાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પુછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આગામી100 દિવસમાં પરિક્ષા લેવાશે

સંદીપ કુમારે જણાવ્યું હતુ કે મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ આજે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

જુનિયર ક્લાર્ક પરિક્ષા -HUMDEKHENGENEWS

5 વર્ષંમા 21000 જેટલી જગ્યાઓ ભરવા માટે પરિક્ષા યોજાઈ

મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. તેમજ મંડળ ધ્વારા અત્યાર સુધી છેલ્લા 5 વર્ષંમા 21000 જેટલી જગ્યાઓ ભરવા માટે41 જેટલા પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 30 લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પૂર્વક યોજેલ છે, અને આ પરીક્ષાઓમાં તમામ સુરક્ષા, તકેદારી અને કાળજી રાખીને ઉમેદવારોની તદન પારદર્શક પધ્ધતિથી પસંદગી કરવામાં આવેલ છે. આ પરિક્ષામાં પણ પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર લાયક ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : 9.53 લાખ ઉમેદવારોનું દર્દ છલકાયું અને રાજકારણ ગરમાયુ

Back to top button