UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવતી રાજ્ય સરકાર, જાણો હવે ક્યાં સુધી મોકલી શકાશે


- સમાન સિવિલ કોડ અંગેના સૂચનો 15મી એપ્રિલ સુધી મોકલી શકાશે
- ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ
ગાંધીનગર, 19 માર્ચ : રાજ્યમાં સમાન સિવિલ કોડ લાગુ કરવા અંગે બનાવવામાં આવેલી સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. અગાઉ સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા.૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા.૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૧૫/૦૪/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ [email protected] મારફત અથવા બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો :- હું તો તેમની ફેન બની ગઈ.. ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ કોના વિશે આવું કીધું?