અમદાવાદગુજરાત

ગાંધીનગરઃ કુદરતી આપદાના સમયે સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

ગાંધીનગર, 11 જુલાઈ 2024,રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા માટે ગુજરાત સરકારનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) તમામ અદ્યતન તકનીકો સાથે સુસજ્જ છે. ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય કે પછી હીટવેવ, નાગરિકોની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ૨૪x૭ કાર્યરત રહીને રાજ્યના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ છે.ગુજરાતમાં આવતી દરેક આપદાઓથી નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાની જરૂર વર્તાઈ હતી.

આ૫ત્તિ વ્યવસ્થા૫નનું સ્વતંત્ર માળખું કાર્યાન્વિત કરવામાં આવ્યું
આપત્તિના સમયે સમગ્ર રાજ્યની પરિસ્થતિનો તાગ મેળવી એક જ સ્થળેથી તેની સમીક્ષા થઇ શકે તે માટે ‘ગુજરાત રાજ્ય આ૫ત્તિ વ્યવસ્થા૫ન મંડળની’ ૨ચના કરી, આ૫ત્તિ વ્યવસ્થા૫નનું સ્વતંત્ર માળખું કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી તમામ આપદાઓમાં SEOC ઝડપી રિસ્પોન્સ, અસરકારક સંકલન અને બચાવ કાર્યો માટેનું કેન્દ્ર બન્યું છે. SEOCની સ્થાપના થઇ ત્યારથી લઈને આજ સુધી રાજ્યમાં આવેલી આપદાઓ સમયે થતી કેઝ્યુઆલીટીમાં સતત ઘટાડો આવ્યો છે. ગત વર્ષે રાજ્ય પર બિપોરજોય વાવાઝોડાની આપત્તિ આવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ SEOCએ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને રાહત બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનની તમામ કામગીરી સુનિશ્ચિત કરી હતી.

મુશ્કેલીના સમયે નાગરિકોને ત્વરિત સહાય પહોંચાડી શકાય
રાજ્યમાં આવતી કોઇપણ આપદા અંગે નાગરિકોને સતર્ક કરવા માટે કેન્દ્ર દ્વારા “સચેત પોર્ટલ”ની અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. આ પોર્ટલના માધ્યમથી SEOC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના અથવા સમગ્ર રાજ્યના નાગરિકોને સતર્ક કરવા માટે માસ એસ.એમ.એસ કરીને સાવચેત કરવામાં આવે છે.આ ઉપરાંત આપત્તિના સમયે નાગરીકો રાહત-બચાવ માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને સીધો સંપર્ક કરી શકે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ‘ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર’ કાર્યરત કરીને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યનો કોઇપણ નાગરિક રાજ્યકક્ષાએ ૫૧૯૦૦/૧૦૭૦ અને જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને કોઇપણ આપત્તિ અંગેની માહિતી આપી શકે છે. આ હેલ્પલાઈન સેન્ટરને ૨૪x૭ કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી મુશ્કેલીના સમયે નાગરિકોને ત્વરિત સહાય પહોંચાડી શકાય.

SEOCનું વિવિધ વિભાગો સાથેનું સંકલન
આપદાના સમયે સૌથી મહત્વની કામગીરી વિવિધ વિભાગો સાથેના સંકલનની હોય છે. SEOC સંબંધિત તમામ વિભાગો સાથે સંકલન કરવા માટેના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. ભારતીય હવામાન વિભાગ સાથે સંકલન કરીને SEOC દ્વારા વરસાદ, ભૂકંપ અને હીટવેવ જેવી આપદાઓ અંગે અન્ય વિભાગોને સાવચેત કરવામાં આવે છે. આપદાના સમયે રાહત-બચાવ કામગીરી માટે નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) સાથે સંકલન કરીને ટીમ ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જરૂર પડ્યે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવી અને બોર્ડર સિક્યુરીટી ફોર્સ સાથે પણ SEOC દ્વારા સંકલન કરવામાં આવે છે.

આ પણ વાંચો-ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ: બલવંતસિંહ રાજપૂત

Back to top button