મહાકુંભમાં ભાગદોડ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યોં, અલ્હાબાદ હાઈકોર્ટ જવાનું કહ્યું
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Untitled-design-2025-02-03T150658.092.jpg)
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી : સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડને “દુર્ભાગ્યપૂર્ણ ઘટના” ગણાવી અને દેશભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવા માટે નિર્દેશો માંગતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ દાખલ કરનાર વકીલને તેમની અરજી સાથે અલ્હાબાદ હાઈકોર્ટ જવા કહ્યું.
અરજીમાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ
મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે બધા રાજ્યો મેળામાં સુવિધા કેન્દ્રો ખોલશે જેથી બિન-હિન્દી ભાષી નાગરિકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
ભાગદોડમાં 30 લોકોના અવસાન, 60 ઘાયલ
29 જાન્યુઆરીની વહેલી સવારે મહાકુંભમાં મૌની અમાવસ્યાના અવસર પર બનેલી ઘટનામાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. જોકે, મોટી સંખ્યામાં ભક્તો મેળા વિસ્તારમાં આવવાનું ચાલુ રાખે છે અને નાસભાગની ઘટનાની અહીં આવતા ભક્તો પર કોઈ ખાસ અસર થતી નથી. આ પછી, સરકારે મેળા વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવા માટે 5 મુખ્ય પગલાં લીધાં છે, જેમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને VVIP પાસ રદ કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : જંકફૂડ વીકમાં કેટલી વાર ખાઈ શકાય? જાણો જરૂરી વાત