ગુજરાતટ્રેન્ડિંગ

STની સવારી બની અસલામત, રોડ પર દોડતી બસના બે ટાયર અચાનક નીકળી જતા મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે

Text To Speech

ST બસની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એસ.ટી બસના ટાયર નીકળી જતા બસ રોડ પર 100 મીટર સુધી ઢસડાઈ હતી.બસમાં બેઠેલા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.ઘટના સામે આવતા જ લોકો STની સવારીને અસલામત બતાવી રહ્યા છે. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ stને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

રવિવારે સવાલે કોયડમ-અમદાવાદ વચ્ચે દોડતી ST બસની ગંભીર બેદરકારી સામે આવી છે.પૈડા વગર બસ રોડ પર ઢસડાતા અંદર બેઠેલા મુસાફરોની ચિંતા વધી ગઈ હતી. જોકે સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે જાનહાનિ થતી ટળી ગઈ હતી.આ ઘટનાથી stને લઈને સવાલો ઉભા થયા છે. લોકો stમાં બેસે છે. જો કે હવે બેસતા પહેલા વિચારશે. આવી ને આવી બેદરકારી સામે આવતી હોય છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં દારૂ લાવવા બુટલેગરોએ કર્યો પથ્થરનો જુગાડ

Back to top button