ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારત માટે શ્રીલંકાએ ચીનને આપ્યો મોટો ઝટકો! આ મહત્વનો નિર્ણય લેશે

  • ભારતે શ્રીલંકાને અગાઉ ચીની સંશોધન જહોજોની રોક પર ટકોર કરી હતી.
  • જાસૂસી જહાજોને તેના બંદરો પર રોકવા માટે શ્રીલંકા નિર્ણય લઈ રહ્યું છે.
  • ચીની સંશોધન જહાજો શ્રીલંકાના બંદરો પર રોકાવા પર પ્રતિબંદ લાદશે.

શ્રીલંકા, 20 ડિસેમ્બર: ચીનને મોટો ઝટકો આપતા પાડોશી દેશ શ્રીલંકા ભારતના હિતમાં મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. શ્રીલંકા તેના મેરીટાઇમ ઝોનમાં વિદેશી જાસૂસી જહાજોના સંચાલન પર 12 મહિનાનો પ્રતિબંધ લાદશે. આનો અર્થ એ છે કે ચીનના સંશોધન અને જાસૂસી જહાજો હવે પહેલાની જેમ શ્રીલંકાના બંદરો પર રોકી શકશે નહીં.

ઈકોનોમિક ટાઈમ્સે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે શ્રીલંકા ચીનના સંશોધન અને જાસૂસી જહાજોને તેના બંદરો પર રોકવા માટે આ નિર્ણય લઈ રહ્યું છે. શ્રીલંકાના એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘સરકાર શ્રીલંકાના જળસીમા અથવા તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે.’

  • ભારત શ્રીલંકાના દરિયાકાંઠે ચીનના જહાજોને રોકવા સામે વાંધો ઉઠાવી રહ્યું છે. જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ પણ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકાના મંત્રીએ આ જ સંદર્ભમાં આગળ કહ્યું, ‘આ જહાજોના આગમનથી ગંભીર રાજદ્વારી તણાવ સર્જાય છે. 2024માં ચૂંટણીઓ (શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી) પણ યોજાવા જઈ રહી છે. આવા જહાજોનું આગમન પ્રદેશ અને શ્રીલંકા માટે અત્યંત વિક્ષેપકારક હોઈ શકે છે, કારણ કે સરકાર દબાણમાં આવી શકે છે. તેથી અમે વિચારી રહ્યા છીએ કે આને એક વર્ષ કે તેથી વધુ સમય માટે પ્રતિબંધિત કરવામાં આવશે.

ભારતના વિરોધ બાદ શ્રીલંકા ચીન સામે નિર્ણય લેશે

  • અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીન 2024ની શરૂઆતમાં શ્રીલંકાના બંદરો પર તેના દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન (MSR) જહાજ જિયાંગ યાંગ હોંગ 3ને ડોક કરવા માંગે છે.

ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને શ્રીલંકન પક્ષે આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભારત અને ચીન બંનેને ખુશ કે નારાજ કરવાનું ટાળી રહ્યું છે. દેશના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું છે કે શ્રીલંકા આગામી 12 મહિના સુધી તેની દરિયાઈ સંશોધન ક્ષમતા વિકસાવશે જેથી તે ભવિષ્યના વિદેશી સંશોધન મિશનમાં સમાન ભાગીદાર તરીકે ભાગ લઈ શકે.

ચીનનું જહાજ ઓક્ટોબરમાં જ શ્રીલંકાના બંદર પર રોકાયું હતું

આ વર્ષે ઓક્ટોબરમાં શ્રીલંકાએ ચીનના સંશોધન જહાજ શી યાન 6ને તેના એક બંદર પર રોકાવા અને સંશોધન કરવાની મંજૂરી આપી હતી. ચીન આવા સંશોધન જહાજોનો વ્યાપક ઉપયોગ કરે છે, જેને જાસૂસી જહાજો કહેવામાં આવે છે. આ જહાજો દ્વારા ચીન શ્રીલંકાને અડીને આવેલા દક્ષિણ ભારતમાં વ્યૂહાત્મક સ્થાપનોની જાસૂસી કરે છે અને મન્નારની ખાડીમાં ખનિજોની માહિતી એકઠી કરે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની બરબાદી પાછળ કોણ જવાબદાર? નવાઝે આપ્યો જવાબ

Back to top button