ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

સૌરવ ગાંગુલીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, સાયબર ધમકી અને માનહાનિનો કેસ

Text To Speech
  • સૌરવ ગાંગુલીની ફરિયાદના આધારે કોલકાતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી

HD ન્યૂઝ ડેસ્ક, 19 સપ્ટેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતા પોલીસમાં સાયબર ધમકી અને માનહાનિની ​​ફરિયાદ નોંધાવી છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સૌરવ ગાંગુલીની ફરિયાદના આધારે કોલકાતા પોલીસે બુધવારે આ મામલે તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

સૌરવ ગાંગુલીના સેક્રેટરીએ આપેલી ફરિયાદમાં લખ્યું છે કે, “હું મૃન્મય દાસ નામના વ્યક્તિ સાથે સંબંધિત સાયબર ધમકી અને માનહાનિનો કેસ તમારા ધ્યાન પર લાવવા માટે લખી રહ્યો છું. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, સૌરવ ગાંગુલીને નિશાન બનાવીને અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. જે તેમની પ્રતિષ્ઠા માટે હાનિકારક છે.”

ઈમેલ મોકલીને ફરિયાદ કરી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સૌરવ ગગુલીના સેક્રેટરીએ મંગળવારે રાત્રે કોલકાતા પોલીસના સાયબર વિભાગને ઈમેલ મોકલીને ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગાંગુલીના સેક્રેટરીએ ઈ-મેલ સાથે એક વીડિયો લિંક પણ શેર કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે, અમને ઈ-મેલ મળ્યો છે અને અમે આ સમગ્ર એપિસોડની તપાસ કરી રહ્યા છીએ.

ગાંગુલીએ કોલકાતા રેપ-મર્ડર કેસની નિંદા કરી હતી

થોડા દિવસો પહેલા જ રવિવારે સૌરવ ગાંગુલીએ કોલકાતાની એક હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક દીકરીનો પિતા હોવાના કારણે તે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ અને ભારતને સુરક્ષિત માનવામાં આવે છે અને કોઈ એક ઘટનાના આધારે સમગ્ર સિસ્ટમ પર કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

આ પણ જૂઓ: ‘જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર’ ગૌતમ ગંભીરે આપ્યું કારણ

Back to top button