BCCIના બોસ રહેશે સૌરવ ગાંગુલી-જય શાહ, SCએ આપી મોટી રાહત


BCCIને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટની રાહત બાદ હવે સૌરવ ગાંગુલી આગામી ત્રણ વર્ષ સુધી BCCIના અધ્યક્ષ બની રહેશે. આ સિવાય જય શાહ આગામી ત્રણ વર્ષ માટે BCCI સેક્રેટરી પણ રહેશે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે.

SCએ બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આગામી ત્રણ વર્ષ સુધી BCCIના અધ્યક્ષ તરીકે યથાવત રહી શકે છે. તે જ સમયે, સૌરવ ગાંગુલી સિવાય, BCCI સેક્રેટરી જય શાહ પણ આગામી ત્રણ વર્ષ માટે BCCI સેક્રેટરીનો હોદ્દો સંભાળી શકે છે.
સૌરવ ગાંગુલી અને જય શાહને પણ મોટી રાહત
સુપ્રીમ કોર્ટની રાહત બાદ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને BCCI સેક્રેટરી જય શાહને પણ મોટી રાહત મળી છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. હવે આ પછી સૌરવ ગાંગુલી હવે આગામી ત્રણ વર્ષ માટે બોર્ડના અધ્યક્ષ તરીકે ચાલુ રહી શકશે. જય શાહ આગામી ત્રણ માટે પણ તેમના પદ પર રહી શકે છે.

BCCIએ મંગળવારે આ દલીલ કરી હતી
BCCI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, “હાલના બંધારણમાં કુલિંગ ઑફ પીરિયડની જોગવાઈ છે. જો હું એક ટર્મ માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનો હોદ્દેદાર હોઉં અને સતત બીજી ટર્મ માટે BCCIનો હોદ્દો ધરાવતો હોઉં તો મારે કુલિંગ-ઓફ પીરિયડમાંથી પસાર થવું પડશે. બંને સંસ્થાઓ અલગ છે અને તેના નિયમો પણ અલગ છે અને પદાધિકારીની સતત બે ટર્મ પણ પાયાના સ્તરે નેતૃત્વ તૈયાર કરવા માટે ખૂબ ટૂંકી છે.