ટ્રેન્ડિંગધર્મ

સોમવતી અમાસ 30 ડિસેમ્બરે, વૃદ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો સંયોગ, શું કરવું, શું નહિ?

  • અમાસનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ હોય છે, તેમાં પણ જ્યારે સોમવતી અમાસ આવે ત્યારે તેનું મહત્ત્વ વધી જતું હોય છે. વળી આવ વખતે વૃદ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે

HD ન્યુઝ ડેસ્કઃ અમાવસ્યા તિથિ દર મહિનામાં એકવાર આવે છે. અમાવસ્યા તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ પણ કરવામાં આવે છે. અમાવસ્યા તિથિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવા માટે અમાવસ્યાના દિવસે વ્રત પણ રાખે છે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. 30મી ડિસેમ્બર માગસર મહિનાની અમાસનો દિવસ છે.

વૃધ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો શુભ સંયોગ

આ અમાસ સોમવારે પડી રહી છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. વૃધ્ધિ યોગ અને મૂળ નક્ષત્રમાં સોમવતી અમાસ રહેશે. આ દિવસે, વૃધ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જે તેને વધુ પવિત્ર અને ફળદાયી બનાવે છે. હિન્દુ ધર્મમાં અમાસ દિવસનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને જ્યારે તે સોમ એટલે કે સોમવાર પર પડે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. તેને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. આ સોમવતી અમાવસ્યા પર વૃદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે શુભ કાર્યો અને આધ્યાત્મિક સાધના માટે અનુકૂળ છે. મૂળ નક્ષત્ર આ દિવસને વધુ પવિત્ર બનાવે છે. આ સંયોગ દરમિયાન કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓ અને પૂજા ખૂબ જ ફળદાયી છે. આ યોગ ધન, સમૃદ્ધિ અને પરિવાર કલ્યાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સોમવતી અમાસ 30 ડિસેમ્બરે, વૃદ્ધિ યોગ અને મૂળ નક્ષત્રનો સંયોગ, શું કરવું, શું નહિ?
 hum dekhenge news

પૂજા પદ્ધતિ

  • સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ દિવસે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે. નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને તમે ઘરે પણ સ્નાન કરી શકો છો.
  • સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
  • સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.
  • જો તમે વ્રત રાખી શકતા હોવ તો આ દિવસે વ્રત રાખો.
  • આ દિવસે પિતૃ સંબંધિત કાર્ય કરવા જોઈએ.
  • પિતૃઓ માટે તર્પણ અને દાન કરો.
  • આ પવિત્ર દિવસે શક્ય એટલું ભગવાનનું ધ્યાન કરો.
  • આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.

આ બાબતોનું રાખો ધ્યાન

  • પૂજામાં સાચી ભક્તિ અને શ્રદ્ધા રાખો. નકારાત્મક વિચારો ટાળો અને બીજાની સુખાકારી માટે સંકલ્પ કરો.
    અમાવસ્યાના દિવસે વધુ પડતા ક્રોધ કે વિવાદથી દૂર રહો.
  • સોમવતી અમાવસ્યા પિતૃઓની શાંતિ માટે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પિતૃઓને તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • સોમવતી અમાવસ્યાના દિવસે વ્રત રાખવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વૈવાહિક જીવન સુખી બને છે.
  • સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને જળાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર બીલપત્ર, મધ, દહીં, ચંદન અને ફળ વગેરે પણ ચઢાવવા જોઈએ.
  • અમાવસ્યાના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સારું સ્વાસ્થ્ય અને આર્થિક સમૃદ્ધિ આવે છે.
  • અમાવસ્યાના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આ દિવસે અનાજ, ગરમ વસ્ત્રો અને ધાબળા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

સોમવતી અમાસના દિવસે શું ન કરવું

  • સોમવતી અમાસના દિવસે ઘરેલુ વિખવાદ ન કરવો જોઈએ.
  • આ દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
  • આ દિવસે વ્યક્તિએ વેરની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
  • સોમવતી અમાવસ્યાના દિવસે કાળી વસ્તુઓનું દાન ટાળવું જોઈએ

આ પણ વાંચોઃ 2025માં મંગળ સાત વખત રાશિ બદલશે, આ લોકોને થશે ફાયદો

આ પણ વાંચોઃ સફલા એકાદશી ક્યારે? 2024ની છે છેલ્લી અગિયારસ, જાણો પૂજા વિધિ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button