ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વક્ફ બોર્ડ પર કેટલાક લોકોનો કબજો: મંત્રી રિજિજુએ 10 મુદ્દામાં સમજાવી બિલ લાવવાની જરૂરિયાત

નવી દિલ્હી, 08 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે આજે બુધવારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે એક સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને સંસદમાં હોબાળો થયો હતો. આ દરમિયાન, જ્યાં વિપક્ષે હોબાળો મચાવ્યો, ત્યાં શાસક પક્ષના લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ બિલ લાવવાની જરૂર કેમ છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સંસદમાં વકફ બોર્ડ બિલ અંગે, સરકાર વતી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સમજાવ્યું કે આ વક્ફ બોર્ડ કાયદામાં શા માટે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ માટે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, તેમણે આ બિલને સમર્થન આપવું જોઈએ કારણ કે તેમની સરકાર દરમિયાન તેમાં ઘણા સુધારાની ભલામણ કરવામાં આવી હતી. વિપક્ષનું સમર્થન માગતા કિરણ રિજિજુએ કહ્યું કે, આ બિલને સમર્થન આપો, કરોડો લોકોના આશીર્વાદ તમને મળશે. થોડાક લોકોએ સમગ્ર વક્ફ બોર્ડ પર કબજો જમાવી લીધો છે અને સામાન્ય મુસ્લિમ લોકોને જે ન્યાય મળ્યો નથી તેને સુધારવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલને કોણે સમર્થન આપ્યું અને કોણે વિરોધ કર્યો તે ઇતિહાસમાં નોંધવામાં આવશે.”

10 મુદ્દાઓમાં જાણો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં શું કહ્યું:

  1. આ બિલમાં જે પણ જોગવાઈઓ છે, કલમ 25થી લઈને 30 સુધીની, તેમાં કોઈપણ ધાર્મિક સંસ્થામાં દખલગીરી કરવામાં આવી નથી અને તેમાં બંધારણના કોઈ અનુચ્છેદનો પણ ભંગ થયો નથી, અમે તેમાં જે ફેરફારો કર્યા છે તેમાં કોઈનો હક છીનવવામાં આવ્યો નથી પરંતુ જેઓને પોતાનો હક મળ્યો નથી તેમને તેમનો હક અપાવવા માટે આ  બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ મહિલાઓ, બાળકો, મુસ્લિમ સમુદાયના પછાત લોકો અને જેમને આજ સુધી ક્યારેય તક મળી નથી તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.
  2. કિરેન રિજિજુએ કહ્યું કે, આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્વારા આપવામાં આવેલી દલીલો ટકી રહી નથી. આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ કોઈ ધર્મમાં દખલગીરી નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જેમને દબાવવામાં આવી રહ્યા છે તેમને જગ્યા આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તે નક્કર(Concrete) છે. ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે.
  3. કિરેન રિજિજુએ આગળ કહ્યું કે, મેં દરેકના મુદ્દા નોંધ્યા છે. હું તેના પર કહેવા માંગુ છું કે આ વકફ સંશોધન બિલ પહેલીવાર ગૃહમાં રજૂ કરવામાં આવી રહ્યું નથી. બ્રિટિશ કાળથી, આ કાયદો 1954માં આઝાદી પછી પ્રથમ વખત લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અમે ગૃહમાં જે સુધારો લાવવા જઈ રહ્યા છીએ તે વકફ અધિનિયમ 1995 છે જે 2013માં સુધારવામાં આવ્યું હતું, તેમાં સુધારો કરી રહ્યા છીએ.
  4. 1995માં જે પણ જોગવાઈઓ લાવવામાં આવી હતી, તેનું ઘણા લોકોએ અલગ-અલગ મૂલ્યાંકન કર્યું છે. ઘણી સમિતિઓ અને લોકોએ તેનો અભ્યાસ કર્યો છે. આ બિલ જે હેતુથી લાવવામાં આવ્યું હતું તે સફળ થયું ન હોવાનું અને તેમાં ઘણી ભૂલો હોવાનું બહાર આવ્યું હતું. આજે હું આ ગૃહમાં કહેવા માંગુ છું કે તમે (કોંગ્રેસ) જે પણ પગલાં લીધાં છે, તમે જે ન કરી શક્યા તે પૂર્ણ કરવા માટે અમે આ સુધારો કરી રહ્યા છીએ.
  5. રિજિજુએ અંગત કિસ્સાઓ જણાવતા કહ્યું કે, આ બોહરા સમુદાયનો કેસ છે. મુંબઈમાં એક ટ્રસ્ટ છે, તેનું સમાધાન હાઈકોર્ટે કર્યું હતું. દાઉદ ઈબ્રાહિમની આસપાસ જ રહે છે. આ જ જગ્યાએ એશિયાની સૌથી મોટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિએ આ જ મિલકત અંગે વકફ બોર્ડને ફરિયાદ કરી અને વકફ બોર્ડે તેને સૂચના આપી. જે વ્યક્તિ આ શહેરમાં કે આ રાજ્યમાં પણ નથી, તેણે વક્ફ બોર્ડ દ્વારા એક પ્રોજેક્ટમાં ખલેલ પહોંચાડી. તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં 1500 વર્ષ જૂનું સુંદરેશ્વર મંદિર હતું. ત્યાં ગામનો એક વ્યક્તિ 1.2 એકરની મિલકત વેચવા ગયો ત્યારે તેને કહેવામાં આવ્યું કે , તે વકફ બોર્ડની જમીન છે. આખા ગામને વકફ બોર્ડની મિલકત જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકાની જમીનને વકફ બોર્ડની મિલકત જાહેર કરવામાં આવી હતી. 2012માં કર્ણાટક લઘુમતી આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વક્ફ બોર્ડે 29 હજાર એકર જમીનને કોમર્શિયલ પ્રોપર્ટીમાં ફેરવી નાખી. તેઓ ખૂબ જ મનમાની કરી રહ્યા હતા. આટલું મોટું કૌભાંડ આપણી નજર સામે થઈ રહ્યું છે. ડો.બારિયા બુશરા ફાતિમાનો કેસ લખનઉનો છે. તે મહિલા તેના બાળક સાથે એવા મુશ્કેલ સંજોગોમાં જીવી રહી છે કે જો તેમના પિતાનું અવસાન થાય છે, તો તેઓ અને તેમના બાળકોને મિલકત નહીં મળે. અખિલેશજી, તમે મુખ્યમંત્રી હતા, તમને કોઈએ આ કહ્યું નહીં. ધર્મના દૃષ્ટિકોણથી નહીં, ન્યાયના દૃષ્ટિકોણથી જુઓ. આક્ષેપો કરીને ભાગવાનો પ્રયાસ કરશો નહીં.
  6. 1976માં વકફ તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટમાં મોટી ભલામણ આવી છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખું વક્ફ બોર્ડ મુતવલિસના કબજામાં આવી ગયું છે. તેને યોગ્ય કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. એકબીજા વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ટ્રિબ્યુનલ હોવી જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે વકફ બોર્ડમાં ઓડિટ અને હિસાબની વ્યવસ્થા યોગ્ય નથી, તેનું સંપૂર્ણ સંચાલન હોવું જોઈએ. તેમાં સુધારાની હિમાયત કરવામાં આવી છે.
  7. કોંગ્રેસના સમયમાં બે સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં એકની રચના 2005માં જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેની રચના ખાસ કરીને મુસ્લિમો માટે તેમના કલ્યાણ માટે કરવામાં આવી છે. રિપોર્ટ વિશે બધા જાણે છે.
  8. સચ્ચર કમિટીની આ પહેલી ભલામણ છે, જેમાં પ્રથમ વાર્ષિક આવક જેટલી વકફ પ્રોપર્ટીમાંથી છે, તેટલી 4.9 લાખ નોંધાયેલ વકફ પ્રોપર્ટીમાંથી માત્ર રૂ. 100.63 કરોડની આવક થાય છે. આ કોઈપણ રીતે વાજબી નથી. આમાં બજારની રીતે બજારની રીતે સંચાલન થવું જોઈએ. જે સમયે તેમણે ભલામણ કરી હતી તે સમયે 12000 કરોડ રૂપિયા વાર્ષિક મળતા હતા. જેનો અર્થ એ થયો કે તેનું બજાર મૂલ્ય ઘણું વધારે હોવાની શક્યતા છે. તેમાં બે મહિલાઓ હોવી જોઈએ, આ પણ એક ભલામણ હતી. તેમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારી પણ હોવા જોઈએ. અમે જે બિલ રજૂ કરી રહ્યા છીએ તે બિલ એ જ સચ્ચર કમિટિ અનુસાર છે.
  9. આજે તમારે (વિરોધી) અમને અભિનંદન આપવા જોઈએ. તેઓ રાજકીય દબાણ હેઠળ વિરોધ કરી રહ્યા છે, દરેક આંતરિક રીતે પોતાના સૂચનો આપી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આ બિલ પર ઘણી બધી વિચારણા કરવામાં આવી છે, જે બીજી કોઈ સરકારે કરી નથી. જેઓ બંધારણને ટાંકીને બિલના હેતુને ગેરમાર્ગે દોરવા માગે છે. ગત રાત સુધી મુસ્લિમ પ્રતિનિધિમંડળ મારી પાસે આવ્યા…ઘણા સાંસદોએ મને કહ્યું કે, માફિયાઓએ વકફ બોર્ડ પર કબજો કરી લીધો છે. કેટલાક સાંસદોએ એમ પણ કહ્યું છે કે, તેઓ વ્યક્તિગત રીતે આ બિલને સમર્થન આપે છે, પરંતુ તેમના રાજકીય પક્ષોના કારણે આવું કહી શકતા નથી.
  10. અમે 2014 પછી હજારો અને લાખો લોકો સાથે મસલત કરી છે. છેલ્લા એક વર્ષમાં જ અમારા ઓનલાઈન પોર્ટલ પર 194 ઓનલાઈન ફરિયાદો અને વકફ સંબંધિત 93 ફરિયાદો આવી છે. ગઈ કાલે મોડી રાત સુધી મુસ્લિમોના પ્રતિનિધિમંડળ મારી પાસે આવતા રહ્યા, અમને પહેલા પણ ઘણા લોકો મળ્યા. તેઓ(વિરોધીઓ) મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો કોઈ સમુદાય પ્રભુત્વ ધરાવે છે અને નાના લોકોને કચડે છે, તો આપણે કેવી રીતે ચૂપ રહી શકીએ? આ થોડા લોકો અહીં પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. 2015 પછી સક્રિય પરામર્શની પ્રક્રિયા શરૂ થઈ છે. એવું ન વિચારો કે અચાનક તેઓ 2024માં બિલ લાવ્યા છે. અહમદિયા, બોહરા, આગાખાની, પસમંદાથી લઈને રાજ્યોના વક્ફ બોર્ડના ચેરમેન અને સીઈઓ સુધ દરેક સાથે વાત કરી છે. પટના, દિલ્હી અને શ્રીનગરમાં પરામર્શConsultation) બેઠકો યોજા. રિજિજુએ ગૃહમાં તારીખો સાથે દિલ્હીથી પટના અને મુંબઈ સુધીના પરામર્શની વિગતો જણાવી અને કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી પરામર્શમાં સામાન્ય મુસ્લિમો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 2023માં, મુંબઈમાં સામાન્ય માણસ સાથે અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી અને કયા પગલાં લેવા જોઈએ તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. લખનઉમાં પણ મોટા પાયે ચર્ચા થઈ, વકફ પ્રોપર્ટી વિશે ચર્ચા થઈ અને ભલામણ આવી કે વકફમાં સુધારાની જરૂર છે.

આ પણ જૂઓ: ‘જો મોદીજી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે તો…’, રણદીપ સુરજેવાલાએ વિનેશ ફોગટ માટે કરી આ મોટી માંગ

Back to top button