મનોરંજન

સોશિયલ મીડિયા સ્ટાર ખજુરભાઈએ કરી લીધી સગાઈ, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

ગુજરાતના લોકપ્રિય ખજૂરભાઇના ચાહકો માટે ખુબ સારા સમાચાર મળી રહ્યા છે. નીતિનજાની ઉર્ફે ખજૂરભાઇ તરીકે ઓળખ ઉભા કરનાર નીતિનજાનીએ સગાઈ કરી લીધી છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઈને તેમની જીવનસંગિની મળી છે. જેની સાથેનો સગાઈનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને લોકો તેમને ખુબ શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.nitin jani - humdekhengenews

મીનાક્ષી દવે સાથે ખજૂરભાઇની સગાઈ

ગુજરાતના સોનુસુદ તરીકે લોકચાહના મેળવનાર ખજૂરભાઈની મંગેતર કોણ છે. તે જાણવા માટે ચાહકોમાં ખુબ ઉત્સુકતા છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી તેમની સગાઈની ખુશખબર આપી છે. તેમણે બારડોલી ખાતે સગાઈ થઈ હતી. અને તેમની મંગેતરનું નામ મિનાક્ષી દવે છે, મિનાક્ષી દવે સાથેની સગાઈની તસવીરો ખજૂરભાઈએ શેર કરી છે. જેમાં મિનાક્ષીએ અને ખજૂરભાઈએ સગાઈ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે વ્યવસાયે ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.

minakshi -humdekhenenews

ગુજરાતના સોનુસુદ તરીકેની ઓળખ

ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યના વખાણ દેશપરદેશમાં થાય છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવેલી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. એક માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયા ખજૂરભાઇ સેવાકાર્ય અર્થે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કર્યો છે. નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈ કોરોનાકાળ પહેલાંથી લોકો માટે સેવા કાર્ય કરી રહ્યા છે. તેમણે તૌકતે વાવાઝોડા દરમિયાન જેમના મકાનો તૂટી ગયા હતા તેમને મદદ કરી મકાનો બનાવી આવ્યા છે. તેઓ યુટ્યૂબમાંથી થતી આવકનો મોટો ભાગ સેવાના કાર્યોમાં ખર્ચ કરી નાખે છે. અત્યાર સુધી કરોડો રૂપિયા લોક સેવા પાછળ ખર્ચ કરી નાખ્યા છે. ખજૂરભાઇ ગુજરાતમાં અનેક જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે. જેથી લોકો તેમને ગુજરાતના સોનુસુદના નામેથી પણ ઓળખે છે.ખજૂરભાઇ -humdekhengenews

આ પણ વાંચો : Iphone પછી હવે Ipadનું પણ ભારતમાં થશે ઉત્પાદન, Apple કંપની તેનું ઉત્પાદન ચીનથી ભારત ખસેડવાની તૈયારીમાં

ચાહકોમાં ખુશીની લહેર

ગુજરાતના સોનુસુદ તરીકે ઓળખાતા ખજુરભાઈના લાખો ચાહકો છે. લોકો તેમની સેવાકીય ભાવનાથી લોકોના દીલ જીતી લીધા છે. જ્યારે ખજૂરભાઈ પોતાની સગાઇના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ત્યારે તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે અને લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ખજુરભાઈને શુભેચ્છા આપી રહ્યા છે. આ તસવીર તેમની સગાઈ વિધિની છે. તસવીર શેર કરીને નીતિન જાનીએ પોર્ટનર લખીને ઈમોજીમાં દિલ મૂક્યું છે.

Back to top button