ટોપ ન્યૂઝનેશનલ

“તો…તમારા મોંમાં ઘી-સાકર”, જાણો કોની ભવિષ્યવાણીથી ખુશ થયા પીએમ મોદી ?

  • રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી
  • નાયડુ અને નીતિશ કુમારના સમર્થનથી તેઓ વડાપ્રધાન છે : જયરામ રમેશે પણ નિશાન સાધ્યું

નવી દિલ્હી, 3 જુલાઈ : રાષ્ટ્રપતિના અભિભાષણને લઇ ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસના નેતા જયરામ રમેશને પણ આડે હાથ લીધા હતા. વાસ્તવમાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને બહુમતી મળી નથી. ત્યારથી તેઓ આ સરકારને એક તૃતીયાંશ સરકાર ગણાવી રહ્યા હતા. તેના પર પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે અમે 10 વર્ષથી સત્તામાં છીએ અને તમારા મતે હજુ 20 વર્ષ બાકી છે. આ ભવિષ્યવાણી માટે તમારા મોંમાં ઘી-સાકર.

આ પણ વાંચો : કેબિનેટ મંત્રી બાવળીયાએ ફ્લડ કંટ્રોલ સેલમાં જઈ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

જાણો શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દિવસથી મેં જોયું છે કે અંત સુધી હાર અને જીત બંને સ્વીકારવામાં આવી રહ્યા છે. હું કોંગ્રેસના કેટલાક સાથીદારોનો આભાર માનવા માંગુ છું, કારણ કે જ્યારથી પરિણામો આવ્યા છે ત્યારથી હું કોંગ્રેસના એક સાથીદારને જોઈ રહ્યો હતો. તેમનો પક્ષ તેમને સાથ આપી રહ્યો ન હતો, પરંતુ તેઓ એકલા ઝંડા લઈને દોડી રહ્યા હતા. હું કહીશ તેમના મોંમાં પણ ઘી-સાકર. હું આવું કેમ કહી રહ્યો છું, કારણ કે તેણે વારંવાર તે એક તૃતીયાંશ સરકારના ઢોલ વગાડ્યા હતા. આનાથી મોટું સત્ય શું હોઈ શકે? અમારે 10 વર્ષ થયા. 20 હજુ બાકી છે. એક તૃતીયાંશ થઈ ગયું છે અને બે તૃતીયાંશ બાકી છે. આથી તેની આગાહી માટે તેના મોંમાં ઘી-સાકાર.

શું કહ્યું જયરામ રમેશે?

આ પહેલા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ ચૂંટણીમાં પોતાને મુદ્દો બનાવ્યો અને પોતાને ભગવાન કહ્યા. તેઓ પોતે માત્ર 1.5 લાખ મતથી પોતાની સીટ બચાવી શક્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. 400 પાર કરવાના નારા લગાવ્યા અને તેનાથી દૂર રહ્યા. આ નરેન્દ્ર મોદીની હાર છે. તેઓ પીએમ નથી, પરંતુ એક તૃતિયાંશ વડાપ્રધાન છે. નાયડુ અને નીતિશ કુમારના સમર્થનથી તેઓ વડાપ્રધાન છે.

આ પણ વાંચો : VIDEO: PMના વક્તવ્ય દરમિયાન રાહુલ ગાંધીએ પોતે લોકસભામાં ઈન્ડી એલાસન્સને હોબાળો કરવા ઉશ્કેર્યા

Back to top button