ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ SITની તપાસનો ધમધમાટ, સાંઠગાંઠ ધરાવતા નેતાઓની થઈ શકે પૂછપરછ

  • રાજકોટના 6 કોર્પોરેટર, નેતાઓની પૂછપરછ થઈ શકે છે
  • ચાર અધિકારીઓ મળી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી
  • સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ સિટની રચના કરી હતી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ SITની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગેમઝોનમાં સાંઠગાંઠ ધરાવતા નેતાઓની પૂછપરછ થઈ શકે છે. તેમજ કેટલાક કોર્પોરેટર એસઆઅઇટીના રડાર પર છે. તેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવ સકંજામાં આવી શકે છે તથા નેતાઓએ ભલામણ કરી હતી તેમની તપાસ થશે.

આ પણ વાંચો: ગુજરાત: ગાંધીધામ પાસે નિર્જન વિસ્તારમાંથી 130 કરોડનું કોકેન ઝડપાયું

રાજકોટના 6 કોર્પોરેટર, નેતાઓની પૂછપરછ થઈ શકે છે

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ SITની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં રાજકોટના 6 કોર્પોરેટર, નેતાઓની પૂછપરછ થઈ શકે છે. તેમાં સાંઠગાંઠ ધરાવતા કોર્પોરેટરની પૂછપરછ થઈ શકે છે. જેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવની પૂછપરછ થઈ શકે છે. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સહિત વોર્ડ 10ના કોર્પોરેટરની પણ પૂછપરછ થઈ શકે છે.

ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખૂલવાની સંભાવના

જે નેતાઓએ ભલામણ કરી હતી તેમની પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખૂલવાની સંભાવના છે. જેમાં TP અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવનાર કોર્પોરેટરની પૂછપરછ થઈ શકે છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસ માટે રાજય સરકાર દ્વારા રચાયેલી સિટની ટીમ રાજકોટ આવી રહી છે. સિટની ટીમ ક્રાઈમ બ્રાંચની કચેરી ખાતે તમામ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરશે. ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજય સરકારે સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ સિટની રચના કરી હતી. આ સિટ દ્વારા રાજકોટમાં તપાસ કરાયા બાદ હાલ ગાંધીનગરથી તપાસ કરવામાં આવી રહી છે.

ચાર અધિકારીઓ મળી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી

અગ્નિકાંડમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપરાંત આઈપીએસની ગાંધીનગર ખાતે સિટ દ્વારા પુછપરછ થઈ ચુકી છે. સિટના અધ્યક્ષ સહિતના સભ્યો રાજકોટ આવી રહ્યા છે. અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ માટે બીજી સિટની રચના કરવામાં આવી હતી. આ સિટ દ્વારા અત્યાર સુધીમાં ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા પાંચ અને મનપાની ટીપી અને ફાયર વિભાગના ચાર અધિકારીઓ મળી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને રિમાન્ડ પર લઈ હાલ ક્રાઈમ બ્રાંચની કચેરી ખાતે ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે. રાજય સરકારે રચેલી સિટની તપાસમાં અગ્નિકાંડમાં મનપા, પોલીસ અને માર્ગ-મકાન વિભાગની બેદરકારી હોવાનું ખુલ્યું છે. જયારે ગુનાની તપાસ કરતી રાજકોટ સ્થિત સિટની તપાસમાં મનપા અને ફાયર વિભાગની જ ગુનાઈત બેદરકારી ખુલી છે. જેને કારણે બંને સિટની તપાસમાં કયા કારણથી વિરોધાભાસ સર્જાયા છે તેવા સવાલો ઉઠયા છે.

Back to top button