અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સિક્કીમ: 30 ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા

Text To Speech
  • ભૂસ્ખલનની ઘટનાને પગલે લાચુંગ ગામમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓને રેસક્યુ કરાયા; તમામ પ્રવાસીઓ સુરક્ષિત

HD ન્યૂઝ ડેસ્ક, 21 જૂન: સિક્કીમ ખાતે ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓના રેસક્યુ કરવામાં આવ્યા છે.  આ તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. લાચુંગ ગામની હોટલમાં ફસાયેલા આશરે 30થી વધુ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. જ્યારે કેટલાક પ્રવાસીઓ તો ગુજરાત પરત પણ ફર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતું.

સિક્કીમના વહીવટી તંત્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ગુજરાતના આશરે 30થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલા હોવાથી, ત્યાં ફસાયેલા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કીમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ જુઓ: PM મોદીનો શ્રીનગરમાં યોગ કાર્યક્રમ શરૂ, કહ્યું: યોગ માત્ર જ્ઞાન જ નથી વિજ્ઞાન પણ છે

Back to top button