મનોરંજન

આજે મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, મુંબઈ નગરી પહોંચ્યું કપલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંન્નેએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સુર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. ત્યાર પછી બંન્નેના લગ્નની તસવારો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને તેમના ચાહકો પણ તેમના લગ્નને લઈને ખુબ જ ખુશ છે. ત્યારે જાણકારી મુજબ આજે મુબઈમાં તેમણે મિત્રો અને પરિવાર જનો માટે રિસેપ્શનું આયોજન કર્યું છે.

 

સિદ્ધાર્થ અને કિયારાનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7મી ફેબ્રુઆરીએ જેસલમેરમાં સાત ફેરા લઈને સાત જનમ માટે એકબીજા સાથે રહેવાનું પસંદ કર્યું છે. આ સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને વધુ એક સુંદર કપલ મળ્યું છે. આ નવપરિણીત યુગલ લગ્ન બાદથી ખૂબ જ ચર્ચામાં છે. લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારા સીધા દિલ્હી પહોંચી ગયા હતા. જ્યાં તેણે પોતાના ખાસ લોકો માટે રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. જે બાદ આ કપલ છેલ્લા દિવસે મુંબઈ આવી ગયું છે.

સિદ્ધાર્થ-કિયારા રિસેપ્શન-humdekhengenews

મુંબઈની હોટેલ સેન્ટ રેજીસમાં રિસેપ્શન

આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ અને કિયારાનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન થવાનું છે. જાણકારી મુજબ આ પાર્ટીમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજરી આપવાના છે. મુંબઈમાં રિસેપ્શનની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.કિયારાનું રિસેપ્શન મુંબઈની હોટેલ સેન્ટ રેજીસમાં યોજાવા જઈ રહ્યું છે. આ હોટલો સ્ટાર્સમાં ઘણી ફેમસ છે અને તે ઘણી મોંઘી પણ છે. રિપોર્ટ અનુસાર આજે રાત્રે લગભગ 8:30 વાગ્યાથી પાર્ટી શરૂ થશે.

રિસેપ્શન માટે સિદ્ધાર્થ અને કિયારા મુબઈ પહોંચ્યા

આજે મુબઈની સેન્ટ રેજીસમાં હોટેલમાં સિદ્ધાર્થ અને કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન થવાનું છે. ત્યારે આ રિસેપ્શન માટે તેઓ દિલ્હીથી મુબઈ પહોંચી ગયા છે. નવવિવાહિત કપલ આજે મુબઈ એરપોર્ટ પર ભારતીય લુકમાં ખૂબ જ સુદર લાગી રહ્યા હતા. જેના ફોટો અને વીડિયો હાલ સામે આવ્યા છે.

સિદ્ધાર્થ-કિયારા રિસેપ્શન-humdekhengenews

સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન કાર્ડ થયુ હતુ વાયરલ

તાજેતરમાં જ સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેના પર ફાઈવ સ્ટાર હોટેલ સેન્ટ રેજીસનું નામ લખેલું હતું. આ કાર્ડ ખૂબ જ સુંદર હતું. આ કાર્ડનો આગળનો ભાગ કપલના લગ્નના ફોટોગ્રાફથી શણગારવામાં આવ્યો છે. દરેકની નજર આજના સ્વાગત પર ટકેલી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ ભવ્ય સ્વાગતમાં કોણે હાજરી આપી છે અને કોણે નથી.

સિદ્ધાર્થ-કિયારા રિસેપ્શન-humdekhengenews

આ રિસેપ્શનમા કોણ આપશે હાજરી ?

માનવામાં આવે છે કે આ પાર્ટીમાં ફિલ્મ સ્ટારો સિવાય મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. ત્યારે ચાહકો એ પણ જોવા માંગે છે કે આ પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ હાજરી આપશે કે નહીં. બધા જાણે છે કે, એક સમયે સિદ્ધાર્થ અને આલિયાના લિંકઅપના સમાચાર સામે આવ્યા હતા.જે બાદ ટૂંક સમયમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. પાર્ટીમાં હાજરી આપનારા સ્ટાર્સના નામની વાત કરીએ તો તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, વરુણ ધવન, ભૂષણ કુમાર, અજય દેવગન, અક્ષય કુનર, જુહી ચાવલા, કરણ જોહર, શાહિદ કપૂર અને અનિલ કપૂર જેવા નામ સામેલ છે.

આ પણ વાંચો : દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું આજે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ધાટન, વડોદરા-સુરતને પણ મળશે લાભ

Back to top button