ઉત્તર ગુજરાતએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગવિશેષ

શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪માં ઉપસ્થિત રહ્યા

Text To Speech
  • “નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”: કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

બલવંતસિંહ રાજપૂત - HDNews

ચાંગા, 28 જૂન, 2024: નયા ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહબરી અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે પ્રાથમિક શાળામાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

 

બલવંતસિંહ રાજપૂત - HDNews

” સુસ્વાગતમ્ “બાલ સ્વાગતગીત, બાલવક્તા, તેજસ્વી વિદ્યાર્થી અને દાતાઓનું સન્માન, લર્નિંગ કોર્નર, સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાનું લોકાર્પણ, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ, આંગણવાડી, વિષયને સમર્પિત ઓરડાઓ આજના કાર્યક્રમની વિશેષતા રહી.

૧૯૪૯માં સ્થપાયેલી આ શાળામાં હાલ ૪૪૨ વિદ્યાર્થીઓ ભણે છે અને આજે આંગણવાડીમાં ૧૫, બાલવાટિકામાં ૪૨, ધોરણ-૧ માં ૪૮, ધોરણ-૯ માં ૫૩ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો. જે પૈકી ૭૭ કુમાર અને ૮૧ કન્યાઓ છે.

બલવંતસિંહ રાજપૂત - HDNews

આ પ્રસંગે શ્રી ગોવિંદભાઈ ચૌધરી, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી કેસરભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી જશુભાઈ સહિત ચાંગા ગામના સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

બલવંતસિંહ રાજપૂત - HDNews

“બાળકો ગુજરાત અને ભારતનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય સુંદર હોવું જોઈએ”- આ વિચારને સાર્થક કરવાનો છે.

આ પણ વાંચોઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

Back to top button