શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪માં ઉપસ્થિત રહ્યા


- “નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”: કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
ચાંગા, 28 જૂન, 2024: નયા ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહબરી અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે પ્રાથમિક શાળામાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.
” સુસ્વાગતમ્ “બાલ સ્વાગતગીત, બાલવક્તા, તેજસ્વી વિદ્યાર્થી અને દાતાઓનું સન્માન, લર્નિંગ કોર્નર, સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાનું લોકાર્પણ, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ, આંગણવાડી, વિષયને સમર્પિત ઓરડાઓ આજના કાર્યક્રમની વિશેષતા રહી.
૧૯૪૯માં સ્થપાયેલી આ શાળામાં હાલ ૪૪૨ વિદ્યાર્થીઓ ભણે છે અને આજે આંગણવાડીમાં ૧૫, બાલવાટિકામાં ૪૨, ધોરણ-૧ માં ૪૮, ધોરણ-૯ માં ૫૩ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો. જે પૈકી ૭૭ કુમાર અને ૮૧ કન્યાઓ છે.
આ પ્રસંગે શ્રી ગોવિંદભાઈ ચૌધરી, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી કેસરભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી જશુભાઈ સહિત ચાંગા ગામના સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
“બાળકો ગુજરાત અને ભારતનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય સુંદર હોવું જોઈએ”- આ વિચારને સાર્થક કરવાનો છે.