આફતાબના રિમાન્ડ પૂરા, કોર્ટમાં કરાશે રજૂ- પોલીગ્રાફ બાદ થશે નાર્કો ટેસ્ટ

શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડાયેલી દરેક નવી વાત સામે આવી રહી છે. આ દરમિયાન આરોપી આફતાબ પૂનાવાલાને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આફતાબના પોલીસ રિમાન્ડને કોર્ટે 22 નવેમ્બરે વધુ ચાર દિવસ માટે લંબાવ્યો હતો, જે આજે પૂરો થઈ રહ્યો છે. વિસ્તૃત પોલીસ રિમાન્ડ દરમિયાન કોર્ટે આરોપી આફતાબનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

આરોપી આફતાબે મહત્તમ 14 દિવસના પોલીસ રિમાન્ડની મુદત પૂરી કરી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો કુલ 14 દિવસના પોલીસ રિમાન્ડ બાદ હવે આરોપી આફતાબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકાય છે. આ સિવાય આજે આફતાબની હાજરી દરમિયાન પોલીસ આ 14 દિવસમાં થયેલા કેસના તપાસ રિપોર્ટ સહિત અન્ય પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરશે. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને તિહાડ જેલમાં મોકલવામાં આવશે. જો કે, દિવસ દરમિયાન ફરી એકવાર તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવે તેવી શક્યતા છે. આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ ત્રણ રાઉન્ડમાં કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ તેના જવાબથી સંતુષ્ટ નથી. તેથી જ હવે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પોલીગ્રાફ ટેસ્ટનું વિશ્લેષણ કરવામાં આવશે
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને શુક્રવારે અઢી કલાક સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. FSLની ટીમ અત્યાર સુધી કરાયેલા પોલીગ્રાફ ટેસ્ટનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો, જો FSL ટીમ આફતાબના જવાબોથી સંતુષ્ટ થશે તો તેને ફરીથી પોલીગ્રાફ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે નહીં. આ પછી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ FSLની ટીમને જો પૃથ્થકરણમાં જણાઈ આવે અથવા સંતોષ ન થાય તો આફતાબનો ફરી એકવાર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.

પોલીસને કોઈ ખાસ પુરાવા મળ્યા નથી
જણાવી દઈએ કે દિલ્હી પોલીસે આફતાબને 5-5 દિવસ માટે કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે તેના 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન આફતાબની પૂછપરછના આધારે કેસ સંબંધિત પુરાવા એકત્રિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે જે દુકાનોમાંથી આરોપીઓએ છરી, કરવત,ચાકુ વગેરે ખરીદ્યા હતા ત્યાં જઈને તપાસ કરી હતી. આ સિવાય પોલીસ શ્રધ્ધાના શરીરના અંગો શોધવા જંગલમાં પણ ગઈ હતી. પોલીસે દિલ્હીથી મુંબઈ સુધીના દરેક વ્યક્તિ સાથે વાત કરી, જેમની પાસે આ કેસ સંબંધિત કોઈ માહિતી હતી. પરંતુ પોલીસને કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.