શ્રદ્ધા હત્યાકાંડઃ આફતાબે જામીન અરજી પાછી ખેંચી, જાણો- શું છે કારણ


શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. વકીલ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, આફતાબ જામીન અરજી દાખલ કરવા માંગતો નથી. આફતાબની જામીન અરજી તેના વકીલ વતી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે કહ્યું કે આ માટે આફતાબની સંમતિ જરૂરી રહેશે. હવે આફતાબે વકીલ સાથે વાત કર્યા બાદ પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી છે.

શું છે સમગ્ર મામલો
શ્રદ્ધાના આરોપી આફતાબ વતી દિલ્હીની સાકેત કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આફતાબની સંમતિ માટે તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવે. આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેણે કોર્ટને કહ્યું કે તે તેના વકીલને મળવા માંગે છે અને તે પછી જ જામીન અરજી દાખલ કરવા અંગે નિર્ણય લેશે. જે બાદ આફતાબે હવે કોર્ટને કહ્યું છે કે તે હાલમાં જામીન અરજી દાખલ કરવા માંગતો નથી. આફતાબે ઈમેલ દ્વારા કોર્ટને જાણ કરી હતી કે તેણે ‘વકલાતનામા’ પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તે જાણતો ન હતો કે તેના વકીલ તેના વતી જામીન અરજી દાખલ કરવાના છે.
સુનાવણી દરમિયાન આફતાબના વકીલે કહ્યું કે સોમવારે આફતાબ સાથે 50 મિનિટ સુધી વાત કર્યા બાદ નક્કી થયું કે તે જામીન પાછી ખેંચી લેશે. આ સાથે વકીલે કોર્ટની માફી પણ માંગી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હવેથી કોઈ મિસ કોમ્યુનિકેશન નહીં થાય. આખરે સાકેત કોર્ટે આફતાબને તેની જામીન અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી.
આફતાબ પર કથિત રીતે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. આ મામલે પોલીસે આફતાબની ઘણી વખત પૂછપરછ કરી છે. આ સાથે તેનો પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. હાલમાં, પોલીસ આફતાબ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવા અને તેને સખત સજા આપવાનો પ્રયાસ કરી રહી છે.