ટોપ ન્યૂઝનેશનલ

સંજય રાઉતને ઝટકો: 5 દિવસ EDની કસ્ટડીમાં જ રહેશે સંજય રાઉત

Text To Speech

શિવસેના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડ કેસમાં રાહત મળે તેમ લાગતું નથી. કોર્ટે રાઉતને 8 ઓગસ્ટ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. તમને જણાવી દઈએ કે આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ રાઉતને 1 ઓગસ્ટના રોજ EDની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ તેમની 8 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. જણાવી દઈએ કે ED એ 31 ઓગસ્ટની મધ્યરાત્રિએ એટલે કે 12 વાગ્યે PMLA હેઠળ સંજયની ધરપકડ દર્શાવી હતી. સંજયનો ભાઈ સુનીલ રાઉત બપોરે 12.30 વાગે ED ઓફિસ પહોંચ્યો હતો. બાદમાં સુનીલ તેની સાથે બેગ લઈને પાછો અંદર ગયો હતો. સંજય રાઉતની ધરપકડ અંગે ભાઈ સુનીલ રાઉતે કહ્યું હતું કે ED સંજય રાઉતથી ડરે છે તેથી તેની ધરપકડ કરી છે. સુનિલે કહ્યું હતું કે નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે.

આ છે પાત્રા ચાલ કૌભાંડનો મામલો

ED અનુસાર ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના પુનઃવિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ તેમને મ્હાડા દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પત્રા ચાલમાં 672 ભાડૂતોના મકાનો રિડેવલપ કરવાના હતા. ED મુજબ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બનાવ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા.

તપાસમાં બહાર આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે રૂ. 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી. બાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી. ED અનુસાર ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમથી વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા.ED અનુસાર, પ્રવીણ રાઉતે રાકેશ વાધવાન અને સારંગ વાધવન સાથે મળીને હજાર કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી છે. EDએ પ્રવીણ રાઉત અને તેના નજીકના સહયોગી સુજીત પાટકરના પ્રિમાઈસીસ પર દરોડા પાડ્યા હતા. પ્રવીણ રાઉત અને સંજય રાઉત કથિત રીતે મિત્રો છે. સાથે જ સુજીત પાટકર પણ સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. સુજીત પાટકર પણ સંજય રાઉતની પુત્રી સાથે વાઈન ટ્રેડિંગ કંપનીમાં ભાગીદાર છે.

Back to top button