તુનિષા શર્મા આત્મહત્યા કેસઃ ‘શીજાન તુનિષાને થપ્પડ મારતો, હિજાબ પહેરવા કરતો દબાણ’

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી એક્ટર શીજાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે શીજાનની પોલીસ કસ્ટડી વધુ એક દિવસ માટે લંબાવી છે. શીજાનની પોલીસ કસ્ટડી શનિવાર સુધી લંબાવવામાં આવી છે. શીજાનને વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પોલીસે કોર્ટમાં શીજાનની કસ્ટડી વધારવાની માંગણી કરી કે તેણે તુનીષાને થપ્પડ મારતો હતો. એટલું જ નહીં, શીજાન તુનીષાને હિજાબ પહેરવા માટે દબાણ કરતો હતો. આ આરોપ તુનીષાની માતાએ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે પીડિતા અને આરોપી બંને અલગ-અલગ ધર્મના હોવાથી તેની પૂછપરછ માટે વધુ કસ્ટડીની જરૂર છે.
શીજાન વારંવાર નિવેદનો બદલે છે
સૂત્રોનું માનીએ તો શીજાન પોલીસ કસ્ટડીમાં વારંવાર પોતાના નિવેદન બદલી રહ્યો છે. શીજાને શરૂઆતમાં પોલીસને કહ્યું હતું કે શ્રદ્ધા અને આફતાબના કેસ પછી તે ડરી ગયો હતો. થોડા દિવસો પછી, શીજાને કહ્યું કે તેણે ધર્મ અને બંનેની ઉંમરના તફાવતને કારણે તુનીષા સાથે સંબંધ તોડી નાખ્યો. શીજાન વારંવાર પોતાના નિવેદન બદલીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ શીજાન પાસેથી આ કેસને લગતા અનેક સવાલોના જવાબ શોધી રહી છે.
પોલીસે કોર્ટમાં શું કહ્યું?
આ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમે શીજાનને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કોર્ટ સમક્ષ શીજાનની કસ્ટડી વધારવાની માંગ સાથે અનેક દલીલો રજૂ કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું કે શીજાને તુનીષાને થપ્પડ મારતો હતો. આ સિવાય તેની અત્યાર સુધીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તે તુનીષા પર હિજાબ પહેરવા માટે દબાણ કરતો હતો. પોલીસ આ તમામ એંગલથી તપાસ કરવા માંગે છે. પોલીસે કહ્યું કારણકે શીજાન વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. તેથી જ તેની પૂછપરછ કરવા માટે પોલીસને તેની વધુ કસ્ટડીની જરૂર છે. પોલીસની દલીલને ધ્યાને લઇ કોર્ટે શીજાનના રિમાન્ડ વધુ એક દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો હતો.

તુનિષાના કાકાએ લવ-જેહાદની આશંકા વ્યક્ત કરી હતી
આ પહેલા તુનીષાના કાકા પવન શર્માએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સંપૂર્ણ તપાસ કર્યા વિના કેવી રીતે કહી શકાય કે આ આત્મહત્યાનો મામલો છે. તેમણે કહ્યું હતું કે પોલીસે પહેલા તેમની તપાસ પૂર્ણ કરવી જોઈએ. આ ઉપરાંત તેણે આ સમગ્ર મામલામાં 100% લવ-જેહાદ એન્ગલ હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે પોલીસ પહેલા આ મામલાની સંપૂર્ણ તપાસ કરે અને પછી કોઈ નિષ્કર્ષ પર આવે.