‘શરદ પવારે મને ભાજપમાં મોકલ્યો…’ અજિત પવારનો મોટો દાવો


મુંબઈ, 21 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2024ની ઉત્તેજના વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મોટો દાવો કર્યો છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારે જ તેમને ભાજપ સાથે સરકાર બનાવવા માટે કહ્યું હતું.
મારા પર કોઈ દબાણ નથી
અજિત પવારે દાવો કર્યો હતો કે શરદ પવારે જ તેમને અને કેટલાક અન્ય નેતાઓને ભાજપ સાથે હાથ મિલાવવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે તેમની પાસે આ અંગેનો પત્ર છે અને જો જરૂર પડે તો તે બતાવી શકે છે. તેમની પત્ની ચૂંટણી લડવા અંગે વિપક્ષના આરોપો પર અજિત પવારે કહ્યું કેતેમની પત્નીને બારામતી લોકસભામાંથી ઉમેદવાર બનાવવા માટે કોઈનું દબાણ નથી.
આ પણ વાંચો: જો ઇન્ડિયા એલાયન્સ જીતશે તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર હશે, આ દિગ્ગજ નેતાએ જણાવી ભવિષ્યની વ્યૂહરચના