ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

માધવનનો શૈતાન અવતાર જોઈને તેની પત્નીએ કહ્યું- મારી સાથે દૂર રહીને…

મુંબઈ, 23 ફેબ્રુઆરી : અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સુપરનેચરલ થ્રિલર ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો અવાચક થઈ ગયા હતા. અજય અને જ્યોતિકા તેમની પ્રતિષ્ઠા મુજબ ફિલ્મમાં ઉત્તમ અભિનય કરતાં જોવા મળ્યાં છે. પરંતુ ફિલ્મમાં આર માધવને નિભાવેલી વિલનની ભૂમિકાને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

માધવન, જેને લોકો આજે પણ ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં સ્વીટ સુશીલ શર્માની ભૂમિકા માટે યાદ કરે છે, તે ‘શૈતાન’માં ભયાનક દેખાઈ રહ્યો છે. ટ્રેલરથી જ તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રેલર લૉન્ચની એક ઇવેન્ટમાં માધવને જણાવ્યું કે આ ટ્રેલર જોયા બાદ તેની પત્નીની પ્રતિક્રિયા શું હતી. માધવને કહ્યું કે તેની પત્ની તેને અલગ રીતે જોવા લાગી.

મારાથી દૂર રહો

બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, માધવને ટ્રેલર લોન્ચ વખતે ‘શૈતાન’ના લુક પર તેની પત્નીની પ્રતિક્રિયા જણાવી હતી. તેણે હસીને કહ્યું હતું કે, ‘મને સ્પષ્ટ રીતે યાદ છે કે જ્યારે મેં મારી પત્નીને આ ટ્રેલર અને તસવીર બતાવી, ત્યારે તેણે મને સાવ અલગ જ રીતે જોવાનું શરૂ કર્યું. અને તેણે કહ્યું કે મારે તેની સાથે દૂર રહીને તેની સાથે વાત કરવી જોઈએ. તેથી મને લાગે છે કે આ ફિલ્મે મારા અંગત જીવનને ઘણી હદ સુધી પ્રભાવિત કર્યું છે.

આ ઉપરાંત, માધવને કહ્યું કે તેને આશા નહોતી કે ‘શૈતાન’ના નિર્માતા આ સ્ટોરીના હોરર એલિમેન્ટ્સને આ સ્તરે લઈ જશે. તેમજ, જ્યારે મેં ફિલ્મ કરવાનું નક્કી કર્યું, ત્યારે મને બિલકુલ પણ અપેક્ષા નહોતી કે અમે કયા લેવલ પર જઈશું, ના તો મેં એ વિચાર્યું હતું કે અમે લોકોને કેટલી હદ સુધી ડરાવી શકશું.

માધવનને સ્વયંને પોતાના કામ પર વિશ્વાસ નહોતો 

માધવને આગળ કહ્યું, ‘મને વિશ્વાસ નહોતો કે હું મારી જાતને આ સ્તર સુધી પુશ કરી શકું છું. તેમ જ મને અપેક્ષા નહોતી કે હું ક્યારેય એવું કંઈક કરીશ જેનાથી લોકો વાસ્તવિક જીવનમાં મારી નજીક આવવાથી દરશે.

અજયે આ વર્ષની શરૂઆતમાં ‘શૈતાન’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તે ફિલ્મના નિર્માતા પણ છે. 1997માં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર જ્યોતિકા 25 વર્ષ બાદ હિન્દી ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. તેણે છેલ્લે 2001માં હિન્દી-તમિલ ફિલ્મ ‘લિટલ જોન’માં કામ કર્યું હતું. માધવન પહેલીવાર અજય સાથે ‘શૈતાન’ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : અનંત-રાધિકા અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સમાં મહેમાનો માટે માર્ગદર્શિકા! જામનગર ધમધમશે

Back to top button