નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનો બદલોઃ બેંક મેનેજરના હત્યારા સહિત બે આતંકવાદીને ઠાર કર્યા

Text To Speech

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવતા હોવાનું કહેવાય છે. આ બધું ત્યારે થયું જ્યારે બુધવારે કાંજીલુર વિસ્તારમાં સુરક્ષા દળો અને આ આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. તેમાંથી એક એ જ આતંકવાદી હતો જે તાજેતરમાં જ કુલગામમાં એક બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો.

સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, IGP કાશ્મીરે કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ શોપિયાંના જાન મોહમ્મદ લોન તરીકે થઈ છે. તે હાલમાં જ કુલગામ જિલ્લામાં 2 જૂને બેંક મેનેજર વિજય કુમારની હત્યામાં સામેલ હતો. બીજાની ઓળખ કરવામાં આવી રહી છે.

કાશ્મીર ઝોન પોલીસે પણ ટ્વીટ કર્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓના આતંકવાદી સંગઠન સાથે સંબંધ હતા. આ અથડામણમાં એક પોલીસકર્મીને પણ સામાન્ય ઈજા થઈ હતી.

આ એન્કાઉન્ટરનું વર્ણન કરતાં કાશ્મીર રેન્જના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, મંગળવારે રાત્રે શોપિયાં જિલ્લાના કાંજીલુરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ માહિતી બાદ સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ વિસ્તારને કોર્ડન કરીને ઘર-ઘર તપાસ શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારે જવાનોએ પણ સામે ગોળીબાર ચાલુ કર્યો હતો.

આ પહેલા શ્રીનગરના બેમિના વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. તે દરમિયાન સોમવારે મોડી રાત્રે બેમિનામાં સુરક્ષા દળો દ્વારા અથડામણમાં પાકિસ્તાની કમાન્ડર અબ્દુલ્લા ગોજરી અને સ્થાનિક લશ્કર કમાન્ડર મુસૈબ સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Back to top button