અલ્લુ અર્જુને જેલમાંથી છૂટ્યા બાદ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

- ‘પુષ્પા 2’ એક્ટર જેલમાંથી બહાર આવતાની સાથે જ પહેલા તેમના પત્ની અને બાળકોને મળ્યો
હૈદરાબાદ, 14 ડિસેમ્બર: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે 14 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની પ્રથમ ઝલક બહાર આવી છે. ‘પુષ્પા 2‘ એક્ટર જેલમાંથી બહાર આવતાની સાથે જ પહેલા તેમના પત્ની અને બાળકોને મળ્યો અને પછી મહિલાના મૃત્યુ અંગે મૌન તોડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેમાં તેને કાયદાના સન્માન અને સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં વાત કરતા સાંભળી શકાય છે. આટલું જ નહીં શનિવારે જેલમાંથી છૂટ્યા બાદ અભિનેતાએ પોલીસ અધિકારીઓને અને કાયદાકીય કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવાનું પણ વચન આપ્યું હતું.
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun says, “I thank everyone for the love and support. I want to thank all my fans. There is nothing to worry about. I am fine. I am a law-abiding citizen and will cooperate. I would like to once again express my condolences to the… https://t.co/wQaQsdicpu pic.twitter.com/nNE1xQTyo5
— ANI (@ANI) December 14, 2024
જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન
હૈદરાબાદ જેલમાંથી બહાર આવ્યા પછી તરત જ, અલ્લુ અર્જુન તેના જ્યુબિલી હિલ્સના ઘરની બહાર મીડિયા અને તેના ચાહકોને મળ્યો હતો. અભિનેતાએ કહ્યું કે, ‘ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને આ મામલે તેમને સંપૂર્ણ સહકાર આપીશ. આ મુશ્કેલ સમયમાં તેમના પ્રશંસકોના અતૂટ સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા, અભિનેતાએ નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. તેમણે તેને અજાણતા અકસ્માત ગણાવ્યો હતો. અલ્લુ અર્જુને કહ્યું કે, ‘છેલ્લા 20 વર્ષથી, હું ફિલ્મો જોવા માટે થિયેટરોમાં જતો રહ્યો છું, જે મારા માટે હંમેશા આનંદદાયક અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે બધું ઊલટું થઈ ગયું છે.’ તેણે આગળ કહ્યું કે, ‘હું ફરી એકવાર તેમના(મહિલા) પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તે એક કમનસીબ ઘટના હતી. જે થયું તેના માટે અમે દિલગીર છીએ.
અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો
VIDEO | Telangana: Tollywood actor Allu Arjun (@alluarjun) reunites with his family after spending a day in jail. The family welcomes him as he arrives at his residence in Jubilee Hills, Hyderabad.#AlluArjun #Pushpa2 pic.twitter.com/UDCjoyE9nb
— Press Trust of India (@PTI_News) December 14, 2024
અલ્લુ અર્જુન તેના પરિવારના સભ્યને મળતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પરના વિડિયોમાં, તેમના પત્ની સ્નેહા રેડ્ડી તેને ગળે લગાવતા વખતે ભાવુક થતા જોવા મળે છે. અભિનેતા તેના પુત્ર અયાન અને પુત્રીને તેના ખોળામાં લઈને ગળે લગાવતો જોવા મળ્યો હતો. ‘પુષ્પા’ અભિનેતા તેમના માતા અને પરિવારના અન્ય સભ્યોને મળ્યો હતો.
આ પણ જૂઓ: ચંદીગઢમાં કોન્સર્ટ પહેલા દિલજીત દોસાંઝ CM માનને મળ્યા, કહ્યું: નાના ભાઈ જેવો પ્રેમ આપ્યો