વધારે વ્યાજ કમાવા માગો છો? તો આ બેંકની યોજના ચકાસી જોજો


HD ન્યુઝ ડેસ્ક : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પગલાં લઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને બેંકે એક નવી ખાસ ફિક્સ ડિપોઝીટ સ્કીમ શરૂ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની આ યોજનાનું નામ SBI ગ્રીન રુપી ટર્મ ડિપોઝિટ (SGRTD) છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ માટે નાણાં એકત્ર કરવાનો અને તેમાં રોકાણ કરવાનો છે. SGRTD શું છે અને તમે તેનો ભાગ કેવી રીતે બની શકો છો તે વિશે જાણી લો.
કોણ સામેલ થઈ શકે?
SBI ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ (SGRTD) એ વિવિધ મુદતવાળી સ્કીમ છે અને તે કાર્યકાળના આધારે અલગ-અલગ વ્યાજ દર ઓફર કરશે. ભારતીય નાગરિકો, NRI અને NRO ખાતાધારકો આ યોજનામાં રોકાણ કરી શકે છે.
ડિપોઝિટ રકમ
આ યોજના હેઠળ લઘુત્તમ જમા રકમ 1000 રૂપિયા છે. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી, એટલે કે તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
રોકાણ કેટલા સમય માટે થશે?
SBI ગ્રીન રૂપી ટર્મ ડિપોઝીટ ત્રણ અલગ અલગ મુદત માટે ઉપલબ્ધ છે. 1,111 દિવસ, 1,777 દિવસ અને 2,222 દિવસ.
કેટલું વ્યાજ મળશે?
1,111 દિવસના સમયગાળા માટે, સામાન્ય નાગરિકોને 6.65%ના દરે વાર્ષિક વ્યાજ મળશે અને વરિષ્ઠ નાગરિકોને 7.15%ના દરે વ્યાજ મળશે.
1,777 દિવસના સમયગાળા પર, સામાન્ય નાગરિકોને 6.65%ના દરે વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.15%ના દરે વ્યાજ મળશે.
2,222 દિવસની મુદતની થાપણો પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.40% હશે.
લોન/ઓવરડ્રાફ્ટ સુવિધા
બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સ્કીમમાં રોકાણ કરનારાઓને લોન અને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. ઉપરાંત, આવકવેરાના નિયમો અનુસાર આ યોજના પર TDS લાગુ થશે.
તે ક્યાં ઉપલબ્ધ છે?
SBIની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર્યાવરણીય સુરક્ષા સાથે સંબંધિત પ્રોજેક્ટ્સને સમર્થન આપશે. હાલમાં આ યોજનાનો લાભ બેંક શાખા દ્વારા મેળવી શકાય છે. પરંતુ ટૂંક સમયમાં તે YONO એપ (YONO), ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સાથે પણ કનેક્ટ થઈ જશે.
આ પણ વાંચો : તમારી કાર ઘરે પાર્કિંગમાં પડી હોય છતાં ટોલટેક્સ કપાય છે? અનેક લોકો કરી રહ્યા છે આ ફરિયાદ