ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

રોહિત શર્મા પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, IPLમાં આવું કોઈ કરી શક્યું નથી

મુંબઈ, 31 માર્ચ 2025 :  જ્યારે પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPLમાં એકબીજાનો સામનો કરે છે, ત્યારે રોમાંચ ચરમસીમાએ હોય છે. આ મેચમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનોએ પોતાની છાપ છોડી છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે MI vs KKR મેચમાં રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. આવો જ એક બેટ્સમેન છે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા જેનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ઉત્તમ રેકોર્ડ છે. રોહિતે IPLમાં KKR સામે 900થી વધુ રન બનાવ્યા છે. રોહિત IPL 2025 ની પ્રથમ બે મેચોમાં MI માટે બેટ વડે વધુ કંઈ કરી શક્યો ન હતો, પરંતુ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં તેની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે ત્યારે તેની પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની મોટી તક હશે.

રોહિત એક હજારી ક્લબની નજીક
MI vs KKR મેચમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ઈડન ગાર્ડન્સ હોય કે વાનખેડે, રોહિતે કોલકાતા સામેની આઈપીએલ મેચમાં ઘણી વખત લોકોના દિલ જીત્યા છે. તેણે IPLમાં મુંબઈ વિરુદ્ધ કોલકાતા મેચમાં પોતાના બેટથી 954 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 128.05 રહ્યો છે. MI vs KKR મેચમાં ઈતિહાસ રચવાના ઉંબરે રહેલા રોહિત શર્મા આજની મેચમાં 46 રન બનાવતાની સાથે જ 1000 હજાર રન પૂરા કરી લેશે અને તે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હિટમેન આ મોટો માઈલસ્ટોન હાંસલ કરવામાં સફળ થાય છે કે નહીં.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

MI અને KKR વચ્ચે IPL મેચોમાં સૌથી વધુ રન
954 – રોહિત શર્મા (128.05 SR)
590 – સૂર્યકુમાર યાદવ (149.74 SR)
362 – વેંકટેશ ઐયર (165.29 SR)
349 – ગૌતમ ગંભીર (115.94 SR)
327 – મનીષ પાંડે (135.12 SR)
MI પ્રથમ જીતની શોધમાં છે

IPL 2025નો રોહિત શર્મા મુંબઈની પ્રથમ મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને ગુજરાત ટાઇટન્સ સામેની બીજી મેચમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. હવે MI ચાહકો ત્રીજી મેચમાં રોહિત પાસેથી વધુ સારી બેટિંગની અપેક્ષા રાખશે, જેથી મુંબઈની ટીમ ઘરઆંગણે રમતી વખતે સિઝનની પોતાની પ્રથમ જીતનો સ્વાદ ચાખી શકે. IPL 2025 નું પોઈન્ટ ટેબલ મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે હજુ સુધી તેનું જીતનું ખાતું ખોલ્યું નથી. આ જ કારણ છે કે ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રથી જ હશે હવે તેમનો જવાનો સમય થઈ ગયો, જાણો કોણે કર્યો આ દાવો

Back to top button