ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં CM બનતા જ રેવંત રેડ્ડી એક્શનમાં આવ્યા, સરકારના 7 સલાહકારોને બરતરફ કર્યા

Text To Speech

તેલંગાણાના CM રેવન્ત રેડ્ડીએ રાજ્ય સરકારના 7 સલાહકારોને બરતરફ કર્યા. જેમાં પૂર્વ મુખ્ય સચિવ રાજીવ શર્મા, પૂર્વ ડીજીપી અનુરાગ શર્મા, પૂર્વ આઈપીએસ એકે ખાન અને અન્ય મુખ્ય સચિવ સોમેશ કુમારનો સમાવેશ થાય છે જેમણે VRS લીધું હતું. સલાહકાર તરીકે કામ કરતા આ તમામ નિવૃત્ત અધિકારીઓ કેસીઆરના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં સૌથી શક્તિશાળી માનવામાં આવતા હતા.

CM Revanth Reddy
CM Revanth Reddy

મુખ્યમંત્રી બન્યા બાદ રેવંત રેડ્ડી સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધા બાદ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂરા કરવા લાગ્યા. અગાઉ, શપથ ગ્રહણ સમારોહ પછી, તેમણે મુખ્યમંત્રી કાર્યાલયની આસપાસના લોખંડના બેરિકેડ્સને હટાવી દીધા હતા, કારણ કે તેમણે વચન આપ્યું હતું કે મુખ્યમંત્રી આવાસ રાજ્યના તમામ લોકો માટે હંમેશા ખુલ્લું રહેશે.

સીએમ રેવંત રેડ્ડીએ બે યોજનાઓ પણ લોન્ચ કરી હતી. આ અંતર્ગત મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને ગરીબો માટે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ બંને યોજનાઓ કોંગ્રેસની છ ગેરંટીનો ભાગ છે.

સીએમ રેવન્ત રેડ્ડીએ વિધાનસભા સંકુલમાં નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભાટી વિક્રમાર્ક, AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી અને કેટલાક મંત્રીઓની હાજરીમાં બે યોજનાઓ લોન્ચ કરી હતી.

Back to top button