ભારતની આટલી કંપનીના એમડી, સીઇઓ 2026માં થશે રિટાયર્ડ

મુંબઇ, 25 માર્ચઃ ભારતની ટોચની પાંચ દિગ્ગજ કંપનીઓનું નેતૃત્ત્વ સંભાળનારા 2026માં રિટાયર્ડ (નિવૃત્ત) થનાર છે, જે તેમના અનુગામીઓ માટેનો માર્ગ મોકળો કરશે. નેસલે ઇન્ડિયાના સીએમડી સુરેશ નારાયણ, ટાઇટનના એમડી સીકે વેકટરામન, વોલ્ટાસના એમડી પ્રદિપ બક્ષી અને પીડિલાઇટના એમડી ભરત પુરી 2026માં નિવૃત્ત થશે. જ્યારે એવન્યુ સુપરમાર્ટના એમડી અને સીઇઓ નેવિલ્લે નોરોન્હાએ જાન્યુઆરી 2026માં પૂર્ણ થતો પોતાનો કોન્ટ્રેક્ટ રિન્યુ નહી કરવાનુ કર્યુ છે. યુનિલિવરના અંશુલ અસાવા હાલમાં સીઇઓ તરીકે કાર્યરત છે, તેઓ ઔપચારીક રીતે નોરોન્હા પાસેથી હવાલો સંભાળશે. નોંધનીય છે કે નોરોન્હાએ કંપનીમા બે દાયકા કરતા વધુ સમય વિતાવ્યો છે.
ટેલિકોમ અને ઓટો જેવા ક્ષેત્રેની કંપનીઓમાં નોંધપાત્ર અસર
આમ સીઇઓમાં થતા ફેરફારો ટેલિકોમ અને ઓટો જેવા ક્ષેત્રેની કંપનીઓમાં નોંધપાત્ર અસર લાવશે, જેમ કે ભારતી એરટેલના એમડી અને સીઇઓ તરીકે ગોપાલ વિટ્ટલ જાન્યુઆરી 2026માં વિદાય લેશે અને તકાશી નિકાજિમા આગામી મહિનાથી હોન્ડા કાર્સના નવા પ્રેસિડન્ટ અને સીઇઓ તરીકેનો ચાર્જ સંભાળશે.
નિષ્ણાતોના અનુસાર આ ફક્ત બનવાજોગ છે કે એક જ સમયે અનેક વિદાય થવા જઇ રહી છે. અન્ય કારણો ટેકનોલોજીકલ અને કન્ઝ્યુમર પરિવર્તનો જે તે કંપનીના બોર્ડને ફ્યુચર રેડી બનવા માટે પ્રેરીત કરે છે ત્યારે તે અંત્યક સક્રિય બની જાય છે અને આ કંપનીઓને હવે પછીના સ્તરે લઇ જવા માટે સજ્જ નવા નેતૃત્ત્વને સમાવે છે.
વિદાય નિવૃત્તિનું સંયોજન
બેંગલુરુ સ્થિત ઇક્યૂબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના એમડી હરીશ એચવી કહે છે, “વિદાય નિવૃત્તિનું સંયોજન છે અને કેટલાક જેઓ બાહ્ય તકો જુએ છે તેમના માટે પણ છે.” “જોકે વ્યાપક સ્તરે, બોર્ડ ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યા છે અને અનુગામીઓ મૂક્યા છે જેઓ આ કંપનીઓને વૃદ્ધિના આગલા તબક્કામાં લઈ જઈ શકે,” તે કહે છે.
દાખલા તરીકે, નેસ્લે ઈન્ડિયાના નવા એમડી મનીષ તિવારી, જેઓ અગાઉ એમેઝોન સાથે હતા, તે કંપનીને એવા સમયે ડિજિટલ વેગ આપશે જ્યારે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બ્રાન્ડ્સ પરંપરાગત ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓનો બજારહિસ્સો ઝૂટંવી રહી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તે ડિજિટલ-ફર્સ્ટ પહેલો અને ક્યુ-કોમર્સ જેવી ઉભરતી ચેનલોને વધુ આક્રમક રીતે આગળ વધારવાના સંદર્ભમાં એક્સિલરેટરને દબાવશે તેવી અપેક્ષા છે.
ટાઇટન, વોલ્ટાસ અને ડીમાર્ટ જેવી કંપનીઓ માટે પણ આવું જ છે, જેમના નવા સીઇઓ વૃદ્ધિને આગળ વધારવા માટે વધુ ઓમનીચેનલ હાજરી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. પિડિલાઇટના એમડી તરીકે નિયુક્ત સુદાંશુ વત્સે સંકેત આપ્યો છે કે કંપની પેઇન્ટ્સ જેવા ક્ષેત્રોમાં તેની હાજરી વધારવાનું વિચારી રહી છે કારણ કે તે એડહેસિવ્સ, વોટરપ્રૂફિંગ અને બાંધકામ સામગ્રીથી આગળ તેની હાજરીમાં વૈવિધ્ય લાવવા વિચારી રહી છે.
બેન્કિંગ ક્ષેત્રે આવ્યા પરિવર્તનો
નોંધનીય છે કે બેન્કિંગ ક્ષેત્રે તાજેતરના સમયમાં, સીએસ સેટ્ટી માટે માર્ગ મોકળો કરવા માટે દિનેશ ખારા ઓગસ્ટમાં એસબીઆઇના ચેરમેન તરીકે નિવૃત્ત થયા હતા, જ્યારે શ્યામ શ્રીનિવાસન સપ્ટેમ્બરમાં ફેડરલ બેંકના એમડી અને સીઇઓ તરીકે નિવૃત્ત થયા અને કેવીએસ મણીયન માટે માર્ગ મોકળો કર્યો હતો. અતુલ કુમાર ગોયલ અને શાંતિલાલ જૈને અશોક ચંદ્ર અને બિનોદ કુમાર માટે માર્ગ ખુલ્લો કરવા માટે ડિસેમ્બરમાં પંજાબ નેશનલ બેંક અને ઈન્ડિયન બેંકના એમડી અને સીઇઓ તરીકેની તેમની જગ્યાઓ ખાલી કરી હતી.
આ પણ વાંચોઃ ઓટો ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા SML ઇસુઝુમાં સુમિટોમોનો હિસ્સો ખરીદે તેવી સંભાવના