ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા 17 લોકોને કાટમાળમાંથી બચાવાયા, હાલ બચાવ કામગીરી ચાલુ

Text To Speech
  • ભાવનગરમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી
  • બે માળની બાલ્કની પડતાં 10 દુકાનો દબાઇ
  • બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિત 10 દુકાનો દબાઇ

અમદાવાદમાં વહેલી સવારે સર્જાયેલી દૂર્ઘટના બાદ ભાવનગરમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. જોકે, હાલ કાટમાળ ખસેડીને બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતા.

બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં
પ્રાપ્ત વિગતો અનુસાર,ભાવનગર શહેરની મધ્યમાં આવેલા તખ્તેશ્વર મંદિર નજીક આવેલા માધવ હિલ કોમ્પ્લેક્સનાં બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી BOB બેંક સહિતની દુકાનો દબાઈ ગઇ છે. બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી થતાં બેઝમેન્ટમાં આવેલી અનેક દુકાનો દટાઇ ગઇ છે. જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકાને લઇને 108, ફાયરવિભાગ અને પોલીસ કમિશનર કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે. બેઝમેન્ટની દુકાનોમાં વ્યક્તિઓ દબાયા હોવાની આશંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. હાલ તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ રહી છે. જોકે, કેટલા લોકો દબાયા એનો કોઇ આંકડો સામે આવ્યો નથી પણ અનેક લોકો દબાયા હોવાની શંકા છે.

17થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા – કમિશનર
આ અંગે કમિશનરના જણાવ્યા મુજબ,માધવ હિલ કોમ્પ્લેક્ષમાં બે માળની બાલ્કની ધરાશાયી થતાં 17થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હજી અંદર એક બહેન દટાયા હોવાની આશંકા છે. અત્યારે અમારા 70 જવાનો કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહ્યા છે. તાત્કાલિક આ કાટમાળ હટાવવામાં આવશે.

આ પણ વાંચો : World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચની તારીખને લઈને મોટો ફેરફાર,હવે આ તારીખે રમાશે મેચ

Back to top button