ટોપ ન્યૂઝનેશનલ

અમરનાથ યાત્રામાં આ વખતે રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ આવી શકે છે, જાણો કેવી છે તૈયારી અને શું છે ખાસ?

Text To Speech

કોરોના કાળને પગલે બે વર્ષ બાદ આ વખતે અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વર્ષ 2022માં બર્ફિલા બાબાના દર્શન કરવા માટે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી 29 જૂને રવાના થશે. આ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે અને અત્યાર સુધીમાં 3 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન દેશભરની અલગ અલગ બેંકોની 566 શાખાઓમાં થઈ રહ્યું છે.

8 લાખથી વધુ તીર્થયાત્રિકો આવી શકે છે
આ વખતે વધુમાં વધુ ભક્તો આવે તેવી અપેક્ષા છે. અગાઉ 2018માં 2.85 લાખ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવ્યા હતા. વર્ષ 2011માં સૌથી વધુ 6.35 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ પછી 3-4 લાખ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો અંદાજ છે કે આ વખતે આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવી શકે છે.

યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તેમના રોકાણ, ભોજન અને તબીબી સુવિધાઓમાં કોઈ કચાશ રાખવા નથી માંગતું. આ વખતે પ્રથમ વખત 6 બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. (ફાઈલ)

સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા
કોરોનાને કારણે આ યાત્રા ત્રણ વર્ષથી બંધ હતી. પ્રશાસન યાત્રા માટે તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે. યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે વહીવટી તંત્ર સતર્ક છે. આ માટે જવાનો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અંગે વહીવટી તંત્ર સતર્ક છે. (ફાઈલ)

આ વખતે ખાસ હશે અમરનાથ યાત્રા
યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તેમના રોકાણ, ભોજન અને તબીબી સુવિધાઓમાં કોઈ કચાશ રાખવા નથી માંગતું. આ વખતે પ્રથમ વખત 6 બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. પહેલગામ, બાલતાલ અને સોનમર્ગમાં પણ કોવિડ કેર હોસ્પિટલો બનાવવામાં આવી છે. આ વખતે આ યાત્રા ઘણી ખાસ રહેશે.

Back to top button