ગુજરાત

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ દર્શને જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

  • એસટી દ્વારા 50 બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવામાં આવી
  • એસ.ટી બસમાં 33000 યાત્રાળુઓએ યાત્રા કરી ધન્યતા અનુભવી
  • પાવાગઢ ખાતે રવિવારે દોઢ લાખ ભક્તો ઊમટયાં

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ દર્શને જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો. જેમાં પાવાગઢ ખાતે રવિવારે દોઢ લાખ ભક્તો ઊમટયાં હતા. રજાના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે તેથી લોકો અટવાયા હતા. જેમાં 50 ઉપરાંત એસ.ટી બસમાં 33000 યાત્રાળુઓએ યાત્રા કરી ધન્યતા અનુભવી છે. મુસાફરોને તળેટીના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘની કૃપા 

એસટી દ્વારા 50 બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવામાં આવી

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારે દોઢ લાખ જેટલા માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ ડુંગરપરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા. જોકે રવિવારની રજાના દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોવાથી યાત્રાળુઓને પોતાના વાહનો વડા તળાવ પાર્કિંગ પ્લોટમાં તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખોના વાયરલ કન્જક્ટીવાઈટીસના એક મહિનામાં કેસ જાણી રહેશો દંગ

મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયધોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું

જોકે એસટી દ્વારા 50, એસ.ટી બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવાતી હોવાથી અને લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડયા હોય બસોની અગાઉના રવિવારની પરિસ્થિતિને એસ.ટી તંત્ર દ્વારા ધ્યાનમાં લઇ સાવચેતીના ભાગરૂપે અગાઉથી એસ.ટી બસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો હોય એસ.ટી સુવિધા રાબેતા મુજબ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. નિજ મંદિરના દ્વાર વહેલી સવારે 5.00 કલાકે ખુલ્લા મુકાતા મંદિર પરિસરમાં હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયધોષથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં હથિયારો લાવી રાજ્યમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો 

પાર્કિંગની હજાર ઉપરાંત ગાડીઓ પણ હવે નીચે પાર્ક કરવાની નોબત આવી

તળેટીમાં તેમજ માચી ખાતે આડેધડ વાહનોના પાર્કિંગ થતા હોય છે. જેના કારણે ટ્રાફિકની જટિલ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોવાનું જોવા મળે છે. સામાન્ય દિવસોમાં ડુંગર પર થતા પાર્કિંગની હજાર ઉપરાંત ગાડીઓ પણ હવે નીચે પાર્ક કરવાની નોબત આવતાં ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની ભીતી સેવાઇ છે. એસ.ટી નિગમ દ્વારા ખાનગી વાહનો પર પ્રતિબંધના જાહેરનામાને પગલે માત્ર એસ.ટી બસ ડુંગર પર જતી હોય એસટી દ્વારા રવિવારના રોજ 50 એસ.ટી બસો તળેટીથી માચી સુધી ચલાવવામાં આવી હતી જેમાં 600 ઉપરાંત, ટ્રીપ અપડાઉન કરી 33000 યાત્રાળુઓએ બસમાં યાત્રા કરી હતી.

Back to top button