ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રતન ટાટા નિધન : રાજ્ય સરકારે આજે 10 ઓક્ટોબર 1 દિવસનો શોક જાહેર કર્યો

Text To Speech

ગાંધીનગર, 10 ઓક્ટોબર : દિગજ્જ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નિધન થયું છે. ગઈકાલે મુંબઈમાં તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દરમિયાન આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે ત્યારે રતન ટાટાના અવસાનના પગલે ગુજરાતમાં રાજ્ય સરકારે આજે 10 ઓક્ટોબરના 1 દિવસનો શોક જાહેર કર્યો છે.

મળતી વિગતો મુજબ, ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા.

મહત્વનું છે કે, તેમનો પાર્થિવ દેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. અહીં લોકો સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકશે. સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુકેશ અંબાણી અને કુમાર મંગલમ બિરલા સહિત રાજકારણ, રમતગમત અને વ્યવસાયની ઘણી હસ્તીઓએ ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને 2 દિવસ પહેલા 17 ઓક્ટોબરે ICUમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ઠીક છે અને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા.

આ પણ વાંચો :- રતન ટાટાને ભારતરત્ન આપવા મહારાષ્ટ્ર સરકારની માંગ

Back to top button