ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ICUમાં દાખલ હોવાની વાતને રતન ટાટાએ આપ્યો રદીયો, કહી આ વાત

Text To Speech

મુંબઈ, તા.7 ઓક્ટોબરઃ જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત બગાડી હોવાના અહેવાલ પર ખુદ તેમણે અફવા ગણાવી છે. 86 વર્ષીય રતન ટાટાએ એક લેટર પોસ્ટ કરીને કહ્યું, હું મારા સ્વાસ્થ્ય અંગે તાજેતરમાં ફેલાઇ રહેવી અફવાથી માહિતગાર છું. હું તમામને જણાવું છું કે મારી તબિયતને લઈ જે સમાચાર વહેતા થયા છે તે પાયાવિહોણા છે. હું મારી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરાવી રહ્યો છું. ચિંતાની કોઈ વાત નથી. હાલ મને ખૂબ સારું લાગી રહ્યું છે. હું મીડિયા સહિત તમામને વિનંતી કરું છું કે ખોટી માહિતી ન ફેલાવો.

આ પહેલા એવા સમાચાર આવ્યા હતા રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં જાણીતા તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.

રતન નવલ ટાટા, એક ભારતીય ઉદ્યોગપતિ, રોકાણકાર, પરોપકારી અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન છે. તેઓ ટાટા ગ્રુપના ચેરમેન રહી ચૂક્યા છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ જીત માટે અપનાવશે આ ખાસ ફૉર્મૂલા, જાણો વિગત

Back to top button