રણદીપ હૂડા કહે છે, આપણા ગુમનામ નાયક વીર સાવરકરની વાસ્તવિક વાર્તા કહેવાનું બીડું મેં ઝડપ્યું

- ‘સ્વતંત્ર વીર સાવરકર’ના કલાકાર રણદીપ હૂડા અને ક્રૂએ IFFI(ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા)માં મીડિયા સાથે વાતચીત કરી
22 નવેમ્બર, પણજીઃ જીવનચરિત્રાત્મક ડ્રામા ‘સ્વતંત્ર વીર સાવરકર’ની ટીમે 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં મીડિયા સાથે વાતચીત કરી હતી, જ્યાં આ ફિલ્મને ભારતીય પેનોરમા વિભાગની પ્રારંભિક વિશેષતા તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મની સર્જનાત્મક યાત્રા અને તેના ઐતિહાસિક મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું.
વિનાયક દામોદર સાવરકરની ટાઈટલની ભૂમિકા ભજવનાર અને ફિલ્મનું દિગ્દર્શન કરનાર અભિનેતા રણદીપ હૂડાએ નિર્માણના પડકારોને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વીર સાવરકર દ્વારા સામનો કરવામાં આવેલા સંઘર્ષો સાથે સરખાવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં હૂડાએ કહ્યું હતું કે, જાહેર જીવનમાં આપણા ગુમનામ નાયક વીર સાવરકરની વાસ્તવિક વાર્તાને રજૂ કરવા માટે મેં આ જવાબદારી મારા માથે લીધી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, સાવરકર હંમેશાં એવું ઇચ્છતા હતા કે ભારત લશ્કરી રીતે મજબૂત બને. આજે વિશ્વમાં આપણી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ફિલ્મ આપણા સશસ્ત્ર સંઘર્ષના અન્ય એક પાસા પર પ્રકાશ પાડે છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ક્રાંતિકારીઓને સ્વતંત્રતા માટે શસ્ત્રો ઉપાડવાની પ્રેરણા મળી હતી.
આ ફિલ્મમાં ભીકાજી કામાનો રોલ કરી રહેલી અભિનેત્રી અંજલિ હૂડાએ જણાવ્યું હતું કે કેવી રીતે આ ફિલ્મમાં તેની ભૂમિકાએ સાવરકરના અંગત જીવન વિશેની તેની સમજને વધુ ઊંડી બનાવી હતી. આ ફિલ્મ મારા માટે આંખ ઉઘાડનારી હતી. હું આશા રાખું છું કે ભવિષ્યમાં આવી વધુ ફિલ્મો આપણા ગુમનામ નાયકો પર પ્રકાશ પાડવા માટે બનાવવામાં આવે. જય પટેલ, મૃણાલ દત્ત અને અમિત સિયાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને તેમણે પણ પોતાના અનુભવો શેર કર્યા હતા.
શું છે ફિલ્મની વાર્તા
આ ફિલ્મમાં વીર સાવરકરની વણથંભી યાત્રાની ચર્ચા કરવામાં આવી છે, જેઓ ભારતની આઝાદીના અનેક અસંખ્ય નાયકોમાંના એક છે. તે માતૃભૂમિ પ્રત્યેના તેમના પ્રેમ અને ભારતની સ્વતંત્રતાની લડત દરમિયાન તેમણે જે ભયંકર પરિણામોનો સામનો કરવો પડ્યો હતો તે પ્રકાશિત કરે છે. આ ફિલ્મમાં ભારતની આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ક્રાંતિકારી વિચારક અને કવિ વિનાયક દામોદર સાવરકરના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિગત બલિદાનો અને વ્યૂહાત્મક નેતૃત્વ દ્વારા સાવરકર એક જટિલ વ્યક્તિ તરીકે ઉભરી આવે છે, જેમની મજબૂત અને આત્મનિર્ભર ભારત માટેની દીર્ઘદૃષ્ટિ સતત ગુંજી રહી છે.
આ પણ વાંચોઃ ‘આઈ વોન્ટ ટુ ટોક’: અમિતાભે અભિષેકની એક્ટિંગના વખાણ કરી કહી આ વાત
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ