ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

અવકાશમાં પણ રામલલાનું નામ ગુંજી ઉઠ્યું, જૂઓ વીડિયો

Text To Speech
  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, હાલમાં જ ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરો ‘રામ આયેંગે’ ગાતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે

અયોધ્યા, 20 જાન્યુઆરી: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલુ થયું ત્યારથી સર્વત્ર રામના નામનો ગુંજ છે. તે જ સમયે 22 જાન્યુઆરીએ થવા જઈ રહેલા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પણ પહેલીવાર સામે આવી છે. હવે જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. હાલમાં જ ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરો ‘રામ આયેંગે’ ગાતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો @mygovindiaના ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે.

પોસ્ટના કેપ્શનમાં @mygovindiaએ લખ્યું છે – ‘રામ આયેંગે’ હવામાં ગુંજી રહ્યું છે, ખરેખર! અયોધ્યા જતી ફ્લાઈટમાં યાત્રીઓ પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે અને એકસૂત્રમાં ગીતો ગાઈ રહ્યા છે. તે ખરેખર એક રોમાંચક અનુભવ છે, જે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સૂર સેટ કરે છે.’

વીડિયોમાં મુસાફરોને ભક્તિ ગીત ગાતા અને તાળીઓ પાડતા બતાવવામાં આવ્યા છે. કેટલાક લોકો પોતાના સ્માર્ટફોનમાં આ દ્રશ્ય રેકોર્ડ કરતા પણ જોવા મળ્યા હતા. આ પોસ્ટ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. શેર કર્યા પછી તેને 14.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. વીડિયો પર ઘણી લાઈક્સ પણ મળી છે.

આ પણ વાંચો: ૨૨ જાન્યુઆરીના રોજ જામનગરમાં પણ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Back to top button