

હરિયાણાની સુનારિયા જેલમાંથી 40 દિવસના પેરોલ પર છૂટેલા દૂષ્કર્મના દોષી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓનલાઈન સત્સંગમાં હરિયાણાના ઘણા ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કરનાલના મેયર રેણુ બાલા ગુપ્તા સહિત બીજેપીના ઘણા નેતાઓ હાજર રહ્યા હોવાના અહેવાલ છે. રામ રહીમે ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત પોતાના આશ્રમમાંથી ઓનલાઈન સત્સંગને સંબોધિત કર્યો હતો.
Out on parole, A convicted rapist Gurmeet Ram Rahim holds a satsang.
Karnal Mayor Renu Bala Gupta attended the online Satsang to take his blessings just before panchayat elections. pic.twitter.com/GHvf7fjbY4— Mohammed Zubair (@zoo_bear) October 19, 2022
વાયરલ વીડિયોમાં રેણુ બાલા પેટાચૂંટણીનો ઉલ્લેખ કરતા અને રામ રહીમને રાજ્યમાં આમંત્રણ આપતા સાંભળી શકાય છે. રેણુ બાલા ઉપરાંત ડેપ્યુટી મેયર નવીન કુમાર અને સિનિયર ડેપ્યુટી મેયર રાજેશ અગ્ગી સહિતના અન્ય નેતાઓએ પણ આ ઓનલાઈન પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં તેમની ભાગીદારીનો બચાવ કરતાં વરિષ્ઠ ડેપ્યુટી મેયરે કહ્યું કે તેમને ‘સાધસંગત’ તરફથી સત્સંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. “મારા વોર્ડમાં ઘણા લોકો રામ રહીમ સાથે જોડાયેલા છે. અમે સામાજિક જોડાણથી કાર્યક્રમમાં આવ્યા હતા અને તેનો ભાજપ અને હરિયાણામાં આવનારી પેટાચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.”
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટ કર્યું, “આગળ શું! ભાજપ ‘બળાત્કાર દિવસ’ને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરશે ? બળાત્કારના દોષિત રામ રહીમને ફરીથી પેરોલ મળે છે, હરિયાણાના ભાજપના ઘણા નેતાઓ સત્સંગમાં હાજરી આપે છે.”

બળાત્કાર અને હત્યાના દોષિત સ્વ-શૈલીના ગોડમેન પાસેથી આશીર્વાદ માંગતો કરનાલના મેયરનો વીડિયો સામે આવતાં જ વિપક્ષે ભાજપને આડે હાથ લીધી છે. આરોપ છે કે હરિયાણામાં આગામી પેટાચૂંટણી અને પંચાયત ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રામ રહીમને પેરોલ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણાની આદમપુર વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યના નવ જિલ્લામાં 9 અને 12 નવેમ્બરે પંચાયતની ચૂંટણી પણ યોજાશે.

રામ રહીમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં તેની બે શિષ્યો પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. સેલ્ફસ્ટાઈલ ગોડમેનને 2017માં સીબીઆઈની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો હતો. રામ રહીમ અને અન્ય ચારને 2021માં ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના કાવતરા માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2019 માં તેને એક પત્રકારની હત્યા માટે પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હવે 3 પક્ષ અને 3 અધ્યક્ષ, જેમની પર ચૂંટણીનો પ્રભાર, જાણો-તેમના કૌશલ્ય અને કુશળતા