ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં મેકડોનાલ્ડ્સે ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર મોકલ્યું ને પછી…

Text To Speech

રાજકોટ, તા.26 ફેબ્રુઆરી, 2025: રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સની ઘોર બેદરકારી સામે આવી હતી. ગ્રાહકને વેજ બર્ગરને બદલે નોનવેજ બર્ગર આપવામાં આવ્યા હતા. ગ્રાહકના પરિવારના એક સભ્યએ ભૂલથી નોનવેજ બર્ગર ખાધું હતું. બાદમાં, જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ હતી ત્યારે કેવલ વિરાણી નામના એક યુવકે સ્વિગી ડિલિવરી એપ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી તેના પરિવાર માટે 6 વેજ બર્ગર મંગાવ્યા હતા. જેમાંથી પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર નીકળ્યા હતા. પરિવારના એક સભ્યએ ભૂલથી નોનવેજ બર્ગર ખાધું હતું. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના એક સભ્યને એવું લાગ્યું કે તેનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે.

પીડિત ગ્રાહકે આ અંગે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના વકીલ અજયસિંહ ચૌહાણ મુજબ, આ એક ગંભીર બેદરકારી છે અને ફૂડ આઉટલેટે આ ભૂલ બદલ જવાબદારી લેવી જોઈએ. આ પ્રકારની ઘટનામાં કોઈ ભૂલ સ્વીકાર્ય નથી. કારણકે તેનાથી ન માત્ર કોઈની વ્યક્તિગત પસંદ પ્રભાવિત થાય છે પરંતુ તેમની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી શકે ચે. પરિવાર કાનૂની કાર્યવાહીની સાથે વળતરની પણ માંગ કરશે.

આ ઘટનાને લઈ ફૂડ ચેનના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. વધારે પડતાં ઓર્ડરના કારણે આમ થયું હતું. વેજ અને નોન વેજ કિચન અલગ અલગ હતા. પરંતુ કોઈ માનવીય ભૂલના કારણે આમ થયું હતું. કંપનીએ તપાસ મામલે સમિતિની રચના કરી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખશે.

આ પણ વાંચોઃ પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર, નળ સરોવર બન્યું હોટસ્પોટ

Back to top button