કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડઃ વધુ બે અધિકારીનો ભોગ લેવાયો, તત્કાલિન PI વણઝારા અને ધોળા સસ્પેન્ડ

Text To Speech

રાજકોટ, 03 જુલાઈ 2024, TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે SITની તપાસ બાદ ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના બે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પીઆઇ. જે.વી.ધોળા અને વી.એસ. વણજારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દીધો
રાજકોટથી પીઆઇ જે.વી. ધોળાની કરછ ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પીઆઇ વી.એસ. વણજારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2021માં આ બંને પીઆઇ રાજકોટમાં હતા, જેના માટે એસઆઇટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી. ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દીધો છે. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન તમામ ટેક્નિકલ પાસા આવરી લેવામાં આવ્યા
આ રિપોર્ટ સુપરત કરતાં પહેલાં કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરાઈ હતી. એમાં આનંદ પટેલની દોઢ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અમિત અરોરાની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બન્ને અધિકારીની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવતીકાલે બંધ કવરમાં હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈએએસની કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તમામ ટેક્નિકલ પાસા આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને સોનુ મળ્યુ

Back to top button