રાજકોટ-અમદાવાદ હાઈવેને ચોટીલા નજીક બાયપાસ કરાશે
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2022/05/793822-highway-1.jpg)
- બાયપાસ માટે સરકાર પાસે મંજૂરી માગવામાં આવી
- નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે
- આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનશે
રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ પર ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતાં લાખો વાહનચાલકોને સૌથી વધુ ટ્રાફિકજામની સમસ્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પાસે નીકળતાં આ હાઇવે પાસે નડે છે.
નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે
આ અન્વયે હવે આ રસ્તો માત્ર ચોટીલામાં જવા માટે રહેશે અને રાજકોટથી સીધા અમદાવાદ કે અમદાવાદથી સીધા રાજકોટ જવા ઇચ્છતા વાહનો માટે આટલી જ સાઇઝનો નવો હાઇવે ચોટીલાને બાસપાય બનાવવાની કવાયત શરુ કરાઈ છે. જેમાં નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે.
આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે
મળતી માહિતી અનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કુલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાંથી 12 કિલો ગાંજા સાથે મોરબીનો યુવાન ઝડપાયો