રેલવેના ધાબળા-ચાદર બીજું કોઈ ચોરી જાય તો પણ જવાબદારી તો તમારી જ હોં…જાણો એવું કેમ?
HD ન્યૂઝ ડેસ્ક : જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારે રેલવેના નિયમોથી વાકેફ હોવા જોઈએ. નહિંતર, તમારી નાની ભૂલને કારણે તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. ટ્રેનોમાંથી ચાદર, ધાબળા અને ગાદલાની ચોરીના આંકડા રેલવે દ્વારા જાહેર કરવામાં આવે છે. જેની સંખ્યા 2023-24 માં લાખો સુધી પહોંચી ગઈ હતી.
જાણો રેલવેના આ મહત્ત્વપૂર્ણ નિયમો
જ્યારે પણ મુસાફરો એસી કોચમાં મુસાફરી કરે છે, ત્યારે તેમને મુસાફરી દરમિયાન ઉપયોગ માટે ધાબળા, ઓશિકા અને ચાદર આપવામાં આવે છે. મુસાફરી પછી તેમને ટ્રેનમાં જ છોડી દેવા પડે છે, પરંતુ ઘણા લોકો તેમને પોતાની બેગમાં પેક કરે છે. થોડા સમય પહેલા, આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક પરિવારના બેગમાંથી અનેક રેલવે શીટ્સ મળી આવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
મુસાફર જવાબદાર
જો તમે મુસાફરી કર્યા પછી તમારી સીટ પર ધાબળો, ચાદર અને ઓશીકું છોડી દો છો અને પછી કોઈ અન્ય તમારી સીટ પરથી તેને ચોરી લે છે, તો આવી સ્થિતિમાં રેલ્વે તમારી સામે કાર્યવાહી કરી શકે છે. આ માટે દંડ અને જેલની સજાની જોગવાઈ છે.
નિયમો શું છે?
રેલવે પ્રોપર્ટી એક્ટ 1966 હેઠળ, મુસાફરની જવાબદારી છે કે તે તેને આપવામાં આવેલ ધાબળો, ચાદર અને ઓશીકું મુસાફરી પછી અટેંડેંટને સોંપે. જો મુસાફર આમ ન કરે અને તેના ગયા પછી કોઈ બીજું ધાબળો અને ઓશીકું ચોરી લે, તો રેલવે ફક્ત તે મુસાફર સામે જ કાર્યવાહી કરશે જેને આ આપવામાં આવ્યા હતા.