ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી રાયબરેલી સીટ રાખશે !

Text To Speech

નવી દિલ્હી, 8 જૂન : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ છોડી શકે છે અને રાયબરેલી સીટ પોતાના માટે રાખી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગેનો નિર્ણય 17 જૂન પહેલા લેવામાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નેતાઓ વચ્ચે સામાન્ય ચર્ચાઓ થઈ હતી કે રાહુલ ગાંધીએ કઈ સીટ છોડવી જોઈએ, રાયબરેલી કે વાયનાડ ? આ અંગે સાંસદ કે.સુરેશ (માવેલીકારા કેરળ)એ કહ્યું કે રાહુલ ગાંધી બીજી વખત વાયનાડના સાંસદ છે અને વાયનાડના લોકો તેમને તેમના પ્રતિનિધિ તરીકે ઈચ્છે છે. જો કે રાયબરેલી સીટ રાખવા પર વધુ ભાર આપવામાં આવ્યો હતો.

યુપીના નેતા આરાધના મિશ્રાએ રાયબરેલી બેઠક રાહુલ ગાંધી માટે રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પરંપરાગત પારિવારિક બેઠક છે અને પેઢીઓથી ચાલી આવે છે. તેમજ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રાજકીય પુનરુત્થાન માટે રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક જાળવી રાખવી જરૂરી છે.

સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાહુલ ગાંધીને લગામ સોંપી હતી અને લોકોને કહ્યું હતું કે ‘હું તમને મારો પુત્ર આપું છું’, તેણે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી ત્યાં પરિવારના વારસાને આગળ વધારશે. તેઓ આવતા અઠવાડિયે સોનિયા ગાંધી અને પ્રિયંકા સાથે રાયબરેલી જશે.

રાયબરેલીના લોકોએ ફરી એકવાર ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી 390030 મતોની સરસાઈથી જીત્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

વાયનાડથી બીજી વખત સાંસદ

ઉલ્લેખનીય છે કે, વાયનાડની જનતાએ રાહુલ ગાંધીને બીજી વખત સાંસદ બનાવ્યા છે. રાહુલ ગાંધી અહીંથી 364422 લાખ મતોથી ચૂંટણી જીત્યા છે. 2019 માં રાહુલે વાયનાડથી 4 લાખથી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીતી હતી. વાયનાડના લોકો હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા છે. વાયનાડ કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક માનવામાં આવે છે.

Back to top button