ગુજરાતટોપ ન્યૂઝ

આવતીકાલે રાહુલ ગાંધી દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં સભા ગજવશે

Text To Speech

દાહોદઃ ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાનમાં કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતી કાલે એટલે કે 10મી મેના દિવસે સવારે 10 કલાકે સંબોધન કરશે. આ અંગે ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ સતત લડત આપી રહ્યો છે. ત્યારબાદ તેઓ કૉંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. નેતા રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારનાં તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતી વિશે વાર્તાલાપ કરશે.

‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી લડત આપી રહ્યો છે. તે માટે 10મી મેના રોજ દાહોદ ખાતે સવારે 10 કલાકે ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં બહુ મોટી સંખ્યામાં જોડાવવા કૉંગ્રેસ પાર્ટી દ્વારા અપીલ કરીને નિમંત્રણ આપે છે.

દાહોદમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ત્યારે અગ્રણીઓ દ્વારા મહોલ્લામાં બેઠકો કરી છે. ઠક્કર ફળિયાની બેઠકમાં ગુજરાત માઇનોરીટી પ્રમુખ વજીરખાન, પ્રદેશ ઉપપ્રમુખ યુનુસભાઇ, ધારાસભ્ય વજેસિંહ પણદા, મહિલા જિલ્લા પ્રમુખ રૂપાલીબેન પરમાર, કાર્યકારી પ્રમુખ આસીફ સૈયદ, કાઉન્સિલર ઇસ્તિયાક સૈયદ, કાઇદ ચુનાવાલા, લક્ષ્મીબેન ભાટ, અગ્રણી કાર્યકર અજીમ કાજી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button