રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાનું નિવેદન, જો BJP ઈચ્છે તો સંબિત પાત્રાને…


સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશના ચૂંટણી કમિશનરની નિમણૂક માટે લાવવામાં આવેલા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં, રાઘવ ચઢ્ઢા, જેમને બનાવટી હસ્તાક્ષરના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પછી બિનશરતી માફી માંગ્યા બાદ રાજ્યસભામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા, તેમણે તેમના રાજકીય હરીફ સંબિત પાત્રાને આડે હાથ લીધા હતા.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું, જો આ બિલ પસાર થશે તો સંબિત પાત્રાને પણ મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવશે, જેના કારણે આયોગની નિષ્પક્ષતા ખોવાઈ જશે. રાઘવ CECમાં ચીફ જસ્ટિસની ભૂમિકા હટાવવાનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન અધ્યક્ષની ખુરશી પર બેઠેલા સપા સાંસદ જયા બચ્ચને સંબોધતા કહ્યું કે, સીઈસીમાં માત્ર ત્રણ સભ્યોને રાખવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન, વિપક્ષના નેતા અને કેબિનેટ મંત્રી જે યોગ્ય નથી. આવી સ્થિતિમાં સરકાર જે ઈચ્છે તે મંત્રી બનશે.
નવું CEC બિલ શું કહે છે?
શાસક કેન્દ્ર સરકાર મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને સુધારો વિધેયક લાવી છે, જે મુજબ હવે ચૂંટણી કમિશનરની નિમણૂકમાં ત્રણ લોકોની મુખ્ય ભૂમિકા હશે, જે વિપક્ષના નેતા, વડાપ્રધાન અને એક કેબિનેટ મંત્રી. તમામ વિરોધ પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિરોધની પાછળનું કારણ એ છે કે આનાથી CECની નિમણૂકમાં 2:1નો ગુણોત્તર થશે. એટલે કે સરકાર જેને ઇચ્છે તેને જ ચૂંટણી કમિશનર બનાવશે.
વિપક્ષી દળોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં ચૂંટણી કમિશનરના નિર્ણયો સ્વતંત્ર નહીં હોય અને તેમનો ઝુકાવ સત્તામાં રહેલી સરકારના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવાનો રહેશે, જેના કારણે વિપક્ષી પાર્ટીઓને વધુ નુકસાન થવાની સંભાવના છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતાને પણ પડકારવામાં આવશે કારણ કે ચૂંટણી પંચની માત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી નથી.