ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

અનામત અંગે રાહુલ ગાંધીના નિવેદન સામે CM સહિત ગુજરાત ભાજપનું વિરોધ પ્રદર્શન

રાહુલ ગાંઘીના અનામત દૂર કરવાના નિવેદન મામલે આજરોજ કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

  • કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છેઃ ગોરઘનભાઇ ઝડફીયા

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત હટાવવાના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનના વિરોધમાં આજરોજ કર્ણાવતી મહાનગર સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકની આગેવાનીમાં મૌન રેલી કરી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ગાંધી પરિવારની દેશ આઝાદ થયો ત્યારથી અનામત વિરોધી માનસિકતા રહી છે ત્યારે “અનામત વિરોધી કોંગ્રેસ – દેશ વિરોધી કોંગ્રેસ” ના સૂત્રોચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અનુસુચિત જાતિ મોરચાના મહાનગરના અધ્યક્ષ ભદ્રેશભાઈ મકવાણા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા વિરોધ - HDNews
રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા વિરોધ – ફોટોઃ ભાજપ ઓફિસ

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યું હતું કે ” દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યું છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરજીને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતા. કોંગ્રેસની સરકારે ૨૫, જુન ૧૯૭૫ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.”

કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપભાઈ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટભાઈ પરમાર તથા પૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા વિરોધ - HDNews
રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા વિરોધ – ફોટોઃ ભાજપ ઓફિસ

આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ પી શાહ , ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમિન મહાનગરના મેયર પ્રતિભાબેન જૈન, મહાનગરના સર્વે ધારાસભ્યઓ, મહાનગરના સંગઠનના પદાધિકારીઓ તથા ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના હાફેશ્વર સહિત દેશના 36 ગામો બેસ્ટ ટૂરિઝમ વિલેજીસ કોમ્પિટિશન વિજેતા જાહેર

Back to top button