‘પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધી કે અન્ય કોઈ ગાંધી લડે’, જાણો અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?


- કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે વારાણસીથી પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળોનો જવાબ આપ્યો છે, જાણો શું કહ્યું
Lok Sabha Election 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી કે પ્રિયંકા ગાંધી પણ યુપીની વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી શકે છે.
આ તમામ અટકળો પર પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આજે (19 ઓગસ્ટ) જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસનું સ્ટેન્ડ બધા જાણે છે. જો કોંગ્રેસ ક્યારેય પોતાનું વલણ બદલશે તો અમે તેની જાણ કરીશું. વડા પ્રધાનની સામે કોઈ પણ ઊભું રહી શકે છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી હોય કે અન્ય કોઈ ગાંધી. જો પીએમ મોદી આટલા બેફિકર છે તો ભાજપ વારાણસીથી ચૂંટણીમાં કોણ ઊભું રહેશે તેની ચિંતા શા માટે છે?
- વાસ્તવમાં કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ દાવો કર્યો હતો કે જો પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે તો તેઓ ગુજરાત જશે.
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આજે કહ્યું કે, રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. આ સમાચારને 24 કલાક થઈ ગયા છે, પરંતુ મને આશ્ચર્ય છે કે સ્મૃતિ ઈરાની ક્યાં ગાયબ થઈ ગયા છે. તે કેમ કોઈ નિવેદન આપત નથી? કેમ કોઈ જવાબ આપતું નથી?
#WATCH | Kolkata: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "Everybody knows the stand of Congress…Anybody can contest against the Prime Minister be it Priyanka Gandhi or any other Gandhi…If the Prime Minister stays so carefree then why is his (PM Modi)… pic.twitter.com/PKD3AI2ZQE
— ANI (@ANI) August 19, 2023
તેમણે વધુમાં કહ્યું કે, “જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તો સ્મૃતિ ઈરાનીની ડિપોઝીટ જપ્ત થઈ જશે.” શક્ય છે કે તે અમેઠી છોડી દે. આવી સ્થિતિમાં ભાજપને વિનંતી છે કે તેમને જવા દેવામાં ન આવે. પ્રિયંકા ગાંધીની વાત કરીએ તો જો તે વારાણસીથી ચૂંટણી લડશે તો પીએમ મોદી ગુજરાત જશે. આ મારી આગાહી છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરની મુલાકાતે, મંદિર નિર્માણકાર્યની સમીક્ષા કરી જાણકારી મેળવી