ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વડાપ્રધાન મોદી આ તારીખે આવશે અમદાવાદ, 1400 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

Text To Speech

વડાપ્રધાન મોદીનો ફરી એક વાર ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. આગામી 12 મે ના રોજ તેઓ અમદાવાદની મુલાકાતે આવશે તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી રૂપિયા 1400 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ આગામી 12 મેના રોજ અમદાવાદ ખાતે આવશે. અને અમદાવાદને રૂપિયા 1400 કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે. જાણકારી મુજબ વડાપ્રધાન મોદી અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ નવા બનનાર બ્રિજ, MLDના STP પ્લાન્ટનું ખાતમુહૂર્ત થશે.

મોદી-humdekhengenews

1400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 મેના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 1400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણમાં નવા બનનાર બ્રિજ, MLDના STP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ PMJY યોજના અંતર્ગત પાઇપલાઇન અને EWS મકાનોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : સહાય પેકેજથી કેટલાક ખેડૂતો અસંતુષ્ટ, 2020નો પરિપત્ર લાગુ થશે કે કેમ ?

Back to top button