ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદીએ નવા વર્ષમાં 71 હજાર યુવાનોને આપી ભેટ, રોજગાર મેળા હેઠળ આપ્યા નિમણુક પત્ર

વડાપ્રધાને ગયા વર્ષે 22 ઑક્ટોબરે 10 લાખ લોકોની ભરતી કરવા માટે “રોજગાર મેળો” શરૂ કર્યો હતો અને બેરોજગારીના મુદ્દા પર વિપક્ષની સતત ટીકા વચ્ચે છેલ્લાં આઠ વર્ષમાં નોકરીઓ ઊભી કરવા માટે તેમની સરકારના પ્રયાસોને પ્રકાશિત કર્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અને 10 લાખ કર્મચારીઓની ભરતી અભિયાન હેઠળ લગભગ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા . આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, હરદીપ પુરી, અનુરાગ ઠાકુર અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ સહિત કુલ 45 મંત્રીઓએ મેળામાં ભાગ લીધો હતો.

PM નરેન્દ્ર મોદીએ કાર્યક્રમની શરૂઆતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે પીએમે યુવાનોને સંબોધતા કહ્યું કે અમારી સરકાર જે કહે છે તે કરે છે અને આ જોબ ફેર તેનું ઉત્તમ ઉદાહરણ છે.

રોજગાર મેળો એ સુશાસનની ઓળખ

પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આ રોજગાર મેળો આપણા સુશાસનની ઓળખ છે. તેમણે એ પણ કહ્યું કે બદલાતા ભારતમાં માત્ર રોજગાર જ નહીં પરંતુ સ્વ-રોજગારનું સ્તર પણ વધ્યું છે, એક સમય હતો જ્યારે વિવિધ કારણોસર નિયમિત પ્રમોશન પણ રોકી દેવામાં આવતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે, તમામ ભરતી પ્રક્રિયા સમયબદ્ધ અને સુવ્યવસ્થિત છે.

આ પણ વાંચો : રખડતાં ઢોર મામલે સુરતમાં તંત્રએ શરૂ કરી કામગીરી, જાણો કેટલાં ઢોર પાંજરે પૂર્યા ?

પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ મોટું પગલું

PMO તરફથી ટ્વિટ કરીને જણાવ્યું છેકે, આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે. PMOએ વધુમાં જણાવ્યું કે, દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનોને જુનિયર એન્જિનિયર, લોકો પાયલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ ડાક સેવક, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, તરીકે ભરતી કરવામાં આવશે. ભારત સરકાર હેઠળ સામાજિક સુરક્ષા અધિકારી, PA, MTS જેવી વિવિધ પોસ્ટ પર પણ પોસ્ટિંગ આપવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત ચુંટણી : કોંગ્રેસે હાર બાદ શરૂ કર્યું મનોમંથન, પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર નેતાઓ ઘરભેગા

Back to top button