ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિએ 5 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા, કર્પૂરી ઠાકુર સહિત આ વ્યક્તિઓને સન્માન

Text To Speech

નવી દિલ્હી, 30 માર્ચ 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે ભૂતપૂર્વ વડા પ્રધાન (મરણોત્તર) અને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા. ભારત રત્નથી સમ્માનિત થનારી પાંચ વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ સિવાય તમામ- ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને પી.વી. નરસિમ્હા રાવ, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર –મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ લોકોને ભારત રત્ન મળ્યો હતો

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનો ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર પીવી પ્રભાકર રાવને મળ્યો હતો. એ જ રીતે એમએસ સ્વામીનાથનનો ભારત રત્ન એવોર્ડ તેમની પુત્રી ડો. નિત્યા રાવને મળ્યો છે. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ તેમના પુત્ર રામનાથ ઠાકુરને મળ્યો છે. જ્યારે ચૌધરી ચરણ સિંહનો ભારત રત્ન એવોર્ડ તેમના પૌત્ર જયંત ચૌધરીના હાથમાં આપવામાં આવ્યો છે.

કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 હસ્તીઓ સહિત, અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 હશે.

આ કારણોસર રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર હસ્તીઓ ખાસ રહી

રાષ્ટ્રપતિ મુર્મુએ કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા 23 જાન્યુઆરીએ ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા છે.
એ જ રીતે, 9 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ડૉ. એમ.એસ. સ્વામીનાથન, પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરી હતી. સ્વામીનાથન કૃષિ વૈજ્ઞાનિક હતા. તેમને ભારતમાં ‘ગ્રીન રિવોલ્યુશન’ના પિતા કહેવામાં આવે છે.

નરસિમ્હા રાવ દેશના 9મા વડાપ્રધાન હતા. ચરણ સિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ ઉત્તર પ્રદેશના 5મા મુખ્યમંત્રી પણ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

Back to top button