ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ

Text To Speech
  • વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી
  • વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે
  • 25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે

વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. તેમજ 25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે. જેમાં મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી છે. તેમજ AIIMSનું લોકાર્પણ કરી વડાપ્રધાન મોદી રેસકોર્સમાં સભા સંબોધશે.

આ પણ વાંચો: અમદાવાદમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ, 45 જાનૈયાઓ સાથે નવવધુ પણ હોસ્પિટલમાં દાખલ 

વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી

વડાપ્રધાન મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી છે. PM મોદી 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેમજ 24 ફેબ્રુ.એ એન.ડી.એચ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ છે. દ્વારકા ખાતે જન સભાને સંબોધન કરશે અને અહી જ રાત્રી રોકાણ કરશે. દ્વારકામાં રાત્રે રોકાણ બાદ પીએમ મોદી બીજા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ છે. પીએમ મોદીના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જનાના હોસ્પિટલ અને અટલ સરોવરનું થશે લોકાર્પણ

25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવનાર છે. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થયો છે. જ્યારે તેઓ રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરશે. હાલ માત્ર એઈમ્સની વાત સામે આવી રહી છે. વડાપ્રધાન રાજકોટ ખાતે આવતા હોય ત્યારે વિવિધ વિભાગો પણ પૂરજોશમાં કામે લાગી ગયા છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે 200 એકર કરતા વધુ જમીન પર અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે આ એઈમ્સનું કામ થયુ છે.

Back to top button